________________
સુરતનાં જિનાલયો
૨૧૩ હીરાચંદ શાહ, શ્રી મહેશભાઈ નગીનદાસ શાહ તથા શ્રી માણેકચંદ નાનચંદ શાહ હસ્તક છે. દર રવિવારે ભાતું અપાય છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીના આધારે જિનાલયનો સમય સં. ૧૯૨૨નો છે.
ગામ - વરિયાવ, તાલુકો - ચોર્યાસી
૧૩. શ્રી ધર્મનાથ (સં. ૧૯૬૩ પૂર્વે) . સુરતથી વાયા અમરોલી થઈને જતાં લગભગ ૧૦ કિ. મી.ના અંતરે, વાપી નદીના કિનારે વરિયાવ ગામ આવેલું છે. ગામમાં હાલ ચાર જૈન કુટુંબો વસે છે. શ્રી ધર્મનાથનું સાદા પથ્થરનું બનેલું, શિખરબંધી જિનાલય આવેલું છે. - સં. ૨૦૨૨માં અમદાવાદ દેરાસર જીર્ણોદ્ધાર કમિટિ દ્વારા જીર્ણોદ્ધાર થયેલ છે. ત્યારબાદ સં. ૨૦૩૯માં આ. શ્રી ચંદ્રોદયસૂરીશ્વર મસા.ની નિશ્રામાં બાબુભાઈ છગનલાલ પરિવાર દ્વારા પુનઃ પ્રતિષ્ઠા થયેલ છે.
| નદીના પૂરના ભયને નિવારવાના હેતુથી જમીનથી આશરે ૧૨ ફૂટ ઊંચું જિનાલય બાંધવામાં આવ્યું છે. જિનાલય પૂર્વાભિમુખ છે. જાળીવાળા દ્વારેથી પ્રવેશતાં જિનાલયની ડાબી બાજુ ૧૫ X ૪૦ ફૂટની ખુલ્લી, ખાલી જગ્યા છે. જમણી બાજુ ત્રણ-ચાર રૂમ છે. તેની ઉપર મોટો હોલ છે. ફરતે કંપાઉંડ વોલ છે.
દસેક પગથિયાં ચડતાં ત્રણ પ્રવેશદ્વાર છે. રંગમંડપમાં પ્રવેશતાં દ્વાર પાસે ડાબી-જમણી બાજુ ગોખમાં ચક્રેશ્વરીદેવી તથા પદ્માવતીદેવી બિરાજે છે. કૌલીમંડપમાં યક્ષ-યક્ષિણીની આરસમૂર્તિના ગોખ છે. ગભારાને ફરતે પ્રદક્ષિણા થઈ શકે તેવી જગ્યા છે.
મૂળનાયક શ્રી ધર્મનાથ ૧૫” ઊંચી છે. કુલ પાંચ આરસપ્રતિમા અને ત્રણ ધાતુપ્રતિમા છે. પૂર્વે શિખરમાં પણ જિનાલય હતું. હાલ શિખરમાં કશું નથી.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં નવસારી જિલ્લામાં દર્શાવેલ કામરેજ તાલુકામાં સુરત સ્ટેશનથી ૫ ગાઉ દૂર આવેલ વરીઆ (વરીયાવ) ગામમાં સરકારી થાણાની પાસે શ્રી ધર્મનાથના શિખર વિનાના જિનાલયનો ઉલ્લેખ છે. તે સમયે કુલ ચાર આરસપ્રતિમા તથા ચાર ધાતુપ્રતિમા હતી. મકાનની સ્થિતિ જીર્ણ હતી. - સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં શ્રી સુરત ધરમચંદ ઉદયચંદ જૈન જીર્ણોદ્ધાર ફંડ દ્વારા વરીયાવ ગામના જિનાલયમાં રકમ આપ્યાની નોંધ છે.
આ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ઉતરાણથી ૩ માઈલ દૂર વરીઆવ ગામે, સરકારી થાણા પાસે શ્રી ધર્મનાથના શિખરબંધી પ્રાચીન જિનાલયમાં ચાર આરસપ્રતિમા તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org