SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ સુરતનાં જિનાલયો વૈશાખ સુદ છઠની વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે અને ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી જે. મૂ. પૂ. જૈન સંઘ – અમરોલીના ટ્રસ્ટીગણ – શ્રી કાંતિભાઈ જીવણલાલ શાહ, શ્રી હસમુખભાઈ નેમચંદ શાહ, શ્રી જયંતિલાલ મફતલાલ માસ્તર (માલણવાળા) તથા ડૉ. મહેન્દ્રભાઈ એન. સોલંકી હસ્તક છે. શત્રુંજય તીર્થનો કાપડનો પટ છે. દર કાર્તિકી પૂનમ તથા ચૈત્રી પૂનમે સુરત શહેરના હજારો લોકો અહીં પટદર્શને આવે છે. ત્યારે મોટા મેળો ભરાય છે. તે દિવસે મગ-સાકરએલચીનું પાણી, સેવ, બુંદી તથા ગાંઠિયાથી સાધર્મિકોની ભક્તિ થાય છે. ગામ - પાલ, તાલુકો - ચોર્યાસી ૧૨. શ્રી અજિતનાથ (સં. ૧૯૨૨) સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાથી ૪ માઈલના અંતરે આવેલ પાલ ગામમાં આરસ તથા પથ્થરનું બનેલું શ્રી અજિતનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે. સ્થિતિ સારી છે. આશરે પાંચ વર્ષ પહેલાં જીર્ણોદ્ધાર થયેલો છે. હાલ જિનાલયમાં કાચકામ કરવામાં આવેલું છે. રાણકપુર, ગિરનાર, શંખેશ્વર, નવકારમંત્ર, નાકોડાભૈરવ, માણિભદ્ર, સિદ્ધચક્ર, પદ્માવતી, સિદ્ધિદાયક યંત્ર, શત્રુંજય વગેરેમાં કાચનું સુંદરકામ થયેલું છે. અહીં પદ્માવતીદેવી, મહાયક્ષ તથા યક્ષિણીની આરસમૂર્તિઓ છે. એક ગર્ભદ્વાર છે. ૧૭” ઊંચી મૂળનાયક શ્રી અજિતનાથની પ્રતિમા સહિત છ આરસપ્રતિમા તથા પાંચ ધાતુપ્રતિમા છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ચોરાસી તાલુકામાં સુરત સ્ટેશનથી ૧ ગાઉ દૂર આવેલ પાલ ગામમાં શ્રી આદેશ્વરના શિખરબંધી જિનાલયનો ઉલ્લેખ છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા હતી. સ્થિતિ સારી હતી. જિનાલય સં. ૧૯૨૨માં બંધાયું હતું. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં સુરતથી ૪ માઈલ દૂર આવેલ પાલ ગામમાં વિદ્યમાન શ્રી અજિતનાથના શિખરબંધી જિનાલયમાં ત્રણ આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા ઉપરાંત રજતના બે ચોવીસીપટ હોવાની નોંધ છે. સં. ૧૯૨૫માં સંઘ દ્વારા બંધાયેલ આ જિનાલયનો વહીવટ શેઠ મોતીચંદ નાથાભાઈ હસ્તક હતો. મૂળનાયક પર સં૧૯૨૧નો લેખ હતો. સ્થિતિ સારી હતી. સં. ૨૦૧૦માં ગામમાં એક પણ જૈન કુટુંબ રહેતું ન હોવાથી તથા એક ઉપાશ્રય હોવાની નોંધ છે. મહા સુદ આઠમની વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે તથા ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી હસમુખભાઈ નેમચંદ શાહ, શ્રી સૌભાગચંદ ચુનીલાલ શાહ, શ્રી રજનીકાંત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy