SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૨૧૧ ગામ - વાવ, તાલુકો - કામરેજ ૧૦. શ્રી વિમલનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૪૮) કામરેજ તાલુકામાં આવેલ વાવ ગામમાં હાલ ચાર જૈન ઘર છે. ગામમાં એક ઉપાશ્રય છે. ગોચરી-પાણીની વ્યવસ્થા છે. અહીં શ્રી જિતુભાઈ અમૃતલાલ શાહ પરિવારનું ઘરદેરાસર આવેલું છે. મૂળનાયક શ્રી વિમલનાથ છે. સં. ૨૦૪૮માં જેઠ સુદ બીજના રોજ પ. પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ. સા.ના ઉપદેશથી ઘરદેરાસરની પ્રતિષ્ઠા થયેલ છે. ૧૧” ઊંચી મૂળનાયક શ્રી વિમલનાથની આરસપ્રતિમા તથા એક ધાતુપ્રતિમા છે. વર્ષગાંઠ જેઠ સુદ બીજના દિવસે છે. ગામ - અમરોલી, તાલુકો - ચોર્યાસી ૧૧. શ્રી વાસુપૂજ્ય સ્વામી (સં. ૨૦૩૮) છાપરાભાઠા ગામ અને ઉત્તરાણ રેલવે સ્ટેશનની વચ્ચે (ઉત્તરાણ રેલવે સ્ટેશનથી ૧ કિ. મી.ના અંતરે) તથા સુરત શહેરથી ૫ કિ. મી.ના અંતરે આવેલું અમરોલી ગામ તાપી નદી કિનારે છે. ગાંધીજી દાંડીકૂચ વખતે આ ગામ પાસેથી પસાર થયા હતા. ઈ. સ. ૧૯૭૪માં તાપી નદી પર પુલ બન્યા પછી ગામનો ઉત્તરોત્તર વિકાસ થતો ગયો છે. હાલ કુલ ૩૫૦ જૈન કુટુંબો વસે છે જેમાં બનાસકાંઠા જિલ્લાનાં ગામોમાંથી નોકરી-ધંધાર્થે આવેલા મધ્યમ વર્ગનાં જૈન કુટુંબોની સંખ્યા વધુ છે. અહીં હાલ એક ઘરદેરાસર તથા એક જિનાલય છે. આરસ તથા પથ્થરના બનેલા શ્રી વાસુપૂજ્યસ્વામીના શિખરબંધી જિનાલયની પ્રતિષ્ઠા સં. ૨૦૩૮માં આ. શ્રી ચંદ્રોદયસૂરિ મ. સા.ની નિશ્રામાં થયેલ છે. જિનાલયને ફરતે કંપાઉંડમાં ઑફિસ, ધર્મશાળા, બે માળનું પાઠશાળાનું મકાન, શ્રાવકનો બે માળનો ઉપાશ્રય, શ્રાવિકાનો ઉપાશ્રય, ભોજનશાળા તથા બગીચો છે. અહીં ધર્મશાળા પાસે દક્ષિણાભિમુખ માણિભદ્રવીરનું સૂચિત સ્થાનક છે. શૃંગારચોકી તથા રંગમંડપમાં રંગકામ ચાલે છે. ત્રણ પ્રવેશદ્વાર છે. રંગમંડપમાં આજુબાજુ અન્ય બે દ્વાર છે. કુલ ચાર ગોખ પૈકી જમણી બાજુ ચક્રેશ્વરીદેવી તથા ગૌતમસ્વામીના ગોખ તથા ડાબી બાજુ પદ્માવતીદેવી તથા આ. શ્રી કસ્તુરસૂરીશ્વર મસા.ની આરસમૂર્તિવાળો ગોખ છે. કૌલીમંડપમાં બંને બાજુ ૧૦૮” ઊંચી શ્રી આદેશ્વર તથા શ્રી નાગેશ્વર પાર્શ્વનાથની શ્યામ આરસની મનોહર કાઉસ્સગ્ન પ્રતિમા છે. ચાર તીર્થ પટ બનાવવાનું કામ ચાલે છે. લાલ પથ્થરમાં કોતરણીયુક્ત તોરણોવાળા સફેદ થંભો પર દીવા મૂકવા માટેના ટોડલાઓની રચના છે. ગભારામાં ૩૧” ઊંચાઈ ધરાવતી શ્રી વાસુપૂજ્ય સ્વામીની ભાવવાહી પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. પ્રતિમાલેખ છે. કુલ આઠ આરસપ્રતિમા તથા સાત ધાતુપ્રતિમા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy