SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૨૦૯ મહારાજના હસ્તે થયેલ છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં સાયણથી ચાર માઈલ દૂર આવેલ કઠોર ગામના કણબીવાડમાં શાંતિનાથના શિખરબંધી જિનાલયમાં ત્રણ આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા ઉપરાંત એક રજત ચોવીસીપટનો ઉલ્લેખ છે. સં. ૧૯૬૪માં શ્રી સંઘ દ્વારા આ જિનાલય બંધાયું હતું. વહીવટ શેઠ ભીમાજી ભગવાનજી હસ્તક હતો અને સ્થિતિ સાધારણ હતી. તે સમયે જૈનોની વસ્તી ૨૦૦ અને એક ઉપાશ્રય હતા. વર્ષગાંઠ – માગશર સુદ ત્રીજના દિને જમણવાર થાય છે તથા ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી શાંતિનાથ ભગવાન જૈન દેરાસર પેઢીના ટ્રસ્ટીઓ – શ્રી ગુલાબચંદ દેવચંદ શાહ (ગામ - ખોલવડ), શ્રી શાંતિલાલ લાલચંદ શાહ તથા શ્રી કાંતિલાલ વલ્લભજી શાહ હસ્તક છે. ટૂંકમાં આ જિનાલયનો સમય સં. ૧૯૬૪નો છે. ‘ગામ - કરજણ, તાલુકો - કામરેજ ૭. શ્રી શાંતિનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૧૧) - સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલા કરજણ ગામમાં હાલમાં પાંચ જૈન કુટુંબો વસે છે. છેલ્લાં ૫૦ વર્ષમાં દીક્ષા લીધી હોય તેવા બે દીક્ષાર્થીઓ છે. એક જૈન ઉપાશ્રય છે જે ૩૦ વર્ષ જૂનો છે. અન્ય એક નવો ઉપાશ્રય હાલ તૈયાર થઈ રહેલ છે જેનું ઉદ્દઘાટન બાકી છે. ગામમાં શ્રી શાંતિનાથનું ઘરદેરાસર આવેલું છે. તેનો વહીવટ શ્રી વસંતલાલ લક્ષ્મીચંદ શાહ હસ્તક છે.. વિ. સં. ૨૦૧૧માં અષાઢ સુદ દશમના દિને શાહ તલકચંદ જેસાજીએ પોતાને ત્યાં ઘરદેરાસર બનાવ્યું હતું. હાલ તેમના પુત્રો પોતાના મા-બાપની સ્મૃતિમાં સ્વદ્રવ્યથી નવું શિખરબંધી જિનાલય બંધાવી રહ્યા છે. પ્રતિષ્ઠા દિવાળી પછી થશે. ૧૧” ઊંચી મૂળનાયક શ્રી શાંતિનાથની ધાતુપ્રતિમા પર નીચે મુજબનો લેખ છે : ધૂળિયા નગરે સં. ૨૦૧૧ જેઠ સુદ ૫ ગુરુવાર તપાગચ્છીય પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વર મહારાજ સાહેબના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયયશોદેવસૂરીશ્વર મહારાજ સાહેબ” અન્ય બે ધાતુપ્રતિમા પૈકી શ્રી સંભવનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા સં૨૦૫રના વૈશાખ વદ સાતમને દિને તા. ૯-૫-૯૬ના દિવસે રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના ચિતામ્બા નિવાસી શ્રી વસંતલાલ લક્ષ્મીચંદ કાંદીવલીમાં કરાવી હતી. તથા શ્રી શાંતિનાથની પ્રતિમા પર વીર સં. ૨૪૮૮નો લેખ છે જે નૂતન જિનાલયની પ્રતિષ્ઠા સમયે પધરાવવામાં આવશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy