________________
૨૦૮
સુરતનાં જિનાલયો સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં કઠોર ગામમાં કણબીવાડમાં શ્રી શાંતિનાથનું શિખરબંધી જિનાલય તથા મેઇન રોડ પર શ્રી આદેશ્વરનું મોટું ઘુમ્મટબંધી જિનાલય – એમ બે જિનાલયો, બે ઉપાશ્રય, બે ધર્મશાળા તથા એક લાઈબ્રેરી હોવાની નોંધ છે. તે સમયે ગામમાં જૈનોની વસ્તી ૨૦૦ની હતી. આદેશ્વરના મોટા જિનાલયમાં કુલ ઓગણીસ આરસપ્રતિમા તથા ત્રેવીસ ધાતુપ્રતિમા હતી. જિનાલય સં ૧૮૫૦ લગભગમાં બંધાયું હતું. વહીવટ શેઠ ઝવેરચંદ નગીનદાસ હસ્તક હતો. સ્થિતિ સાધારણ હતી.
સં. ૨૦૧૩માં જૈન ધર્મનાં યાત્રા સ્થળો ગ્રંથમાં કઠોર ગામ તથા જિનાલય વિશે નીચે મુજબની નોંધ છે :
ગુજરાતના કામરેજ તાલુકામાં કઠોર ગામ તાપી નદીના કાંઠે આવેલું છે. સાયણ સ્ટેશનથી બસ સર્વિસ છે. બે દેરાસરમાં (૧) શ્રી આદિનાથ પ્રભુનું મોટું મંદિર (૨) શ્રી શાંતિનાથજી. ઉપાશ્રય પણ છે.”
આજે જિનાલયની વર્ષગાંઠ – ફાગણ સુદ ત્રીજના દિને જમણવાર થાય છે. તથા ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી આદેશ્વર જૈન સંઘ - કઠોરના ટ્રસ્ટી - શ્રી કાંતિલાલ દલીચંદ સંઘવી, શ્રી ધરણેન્દ્રભાઈ અમૃતલાલ શાહ અને મનહરલાલ અમૃતલાલ બુહારીવાલા હસ્તક છે.
સં. ૧૯૬૩માં જિનાલય બંધાયા સંવત ૧૮૬૮ તથા જિનાલયની સ્થિતિ સાધારણ દર્શાવેલ છે તથા સં. ૨૦૧૦માં જિનાલયનો સમય સં. ૧૮૫૦ લગભગનો દર્શાવેલ છે. અમારી માન્યતા પ્રમાણે આ જિનાલયનો સમય સં૧૮૬૮ આસપાસનો છે. તેથી વધુ પ્રાચીનતા નક્કી કરવા માટે વધુ સંશોધનની જરૂર છે.
ગામ - કઠોર, તાલુકો - કામરેજ
૬. શ્રી શાંતિનાથ (સં. ૧૯૬૪) કઠોર ગામમાં કણબીવાડમાં આરસ તથા સાદા પથ્થરનું બનેલું શાંતિનાથનું શિખરબંધી જિનાલય વિદ્યમાન છે. સ્થિતિ મધ્યમ છે. છેલ્લો જીર્ણોદ્ધાર સં. ૨૦૧૫માં થયેલ છે. હાલ જિનાલયમાં રંગકામ તથા સમારકામ ચાલે છે.
જાળીવાળા ઝાંપેથી પગથિયાં ચડી પ્રવેશતાં નાનો ચોક છે. શૃંગારચોકીમાં જમણી બાજુ શ્રી માણિભદ્રવીરનો ગોખ છે. તેની પ્રતિષ્ઠા સં૨૦૧૭માં વૈશાખ સુદ ત્રીજના દિવસે થયેલ છે.
રંગમંડપમાં દીવાલ પર સિદ્ધગિરિ, નવપદજી તથા શ્રી શાંતિનાથના ભવોનું આલેખન કરતાં વિવિધ પટ પ્રસંગોનું ચિત્રાંકન છે.
ગભારામાં ૨૭” ઊંચી મૂળનાયક શ્રી શાંતિનાથની પ્રતિમા છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા ચૌદ ધાતુપ્રતિમા છે. પ્રતિષ્ઠા સં. ૧૯૬૪ના માગશર સુદ ત્રીજના રોજ શ્રી મોહનલાલજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org