SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૨૦૭ ગામ - કઠોર, તાલુકો - કામરેજ ૫. શ્રી આદેશ્વર (સં. ૧૮૬૮ આસપાસ) કામરેજ તાલુકાથી આશરે ૭ કિ. મી.ના અંતરે આવેલ કઠોર ગામમાં કુલ બે જિનાલયો વિદ્યમાન છે. ગામમાં શ્રાવકોના બે ઉપાશ્રય તથા શ્રાવિકાનો એક ઉપાશ્રય છે. જૈન વાડી છે. ૩૦ થી ૩૫ જૈન કુટુંબો હાલ વસે છે. ગામ મધ્યે ટાવર પાસે સાદા પથ્થર તથા આરસનું બનેલું શ્રી આદેશ્વરનું ત્રણ શિખરવાળું જિનાલય આવેલું છે. ઉપર શિખરમાં શ્રી આદેશ્વરની ધાતુપ્રતિમા મધ્યે બિરાજે છે. જિનાલયનો જીર્ણોદ્ધાર સં. ૨૦૦૬માં તથા સં. ૨૦૧૬માં થયેલો છે. | જિનાલયના વિશાળ ચોગાનમાં વૃક્ષો તથા બેઠકની રચના છે. બાજુમાં ઉપાશ્રય તથા નવી ધર્મશાળા અને તેની પાછળના ભાગમાં વાડી છે. જાળીવાળા દ્વારની આસપાસ દ્વારપાલનાં શિલ્પો તથા કમાન પર શ્રી લક્ષ્મીદેવીનું શિલ્પ છે. પ્રવેશતાં સામે ખાલી રૂમ છે. તેની બાજુમાં શ્રી મોહનલાલજી મહારાજની પાદુકાં તથા ફોટો છે. પાદુકા પર સં૧૮૬૨નો લેખ છે. બાજુમાં પદ્માવતીદેવીની નયનરમ્ય આરસમૂર્તિ છે. તેની પ્રતિષ્ઠા સં. ૨૦૪૭ને વૈશાખ સુદ છઠના રોજ શ્રી જગવલ્લભવિજયજીની નિશ્રામાં થયેલ છે. - ત્રણ પ્રવેશદ્વારવાળા જિનાલયના રંગમંડપના ઘુમ્મટમાં દેવી, ગ્રહો તથા આદેશ્વરના ભવોનું ચિત્રાંકન છે. સમેતશિખર, નવપદજી, ઋષભદેવના વરસીદાન-દીક્ષા વગેરે પ્રસંગો, આબુ, પાવાપુરી તથા ગિરનારના કાચકામયુક્ત પટ-પ્રસંગો અને રાણકપુર, શંખેશ્વર, ભદ્રેશ્વર, નાકોડા તથા ક્ષત્રિયકુંડ જેવા ચિત્રકામયુક્ત પટથી દીવાલો શોભે છે. સ્થંભો પર નારીશિલ્પો છે. ત્રણ ગર્ભદ્વાર છે. ૨૫” ઊંચી શ્રી આદેશ્વરની પ્રતિમા સહિત કુલ તેર આરસપ્રતિમા તથા તેરે ધાતુપ્રતિમા છે. ઉપરના માળે શિખરમાં ૭” ઊંચાઈ ધરાવતી શ્રી આદેશ્વરની ધાતુપ્રતિમા મધ્યે બિરાજે છે. કુલ આઠ આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં નવસારી જિલ્લામાં દર્શાવેલ કામરેજ તાલુકામાં સાયન સ્ટેશનથી ચાર ગાઉ અંતરે આવેલ કઠોર ગામના નાકે શ્રી આદેશ્વરનું શિખરબંધી જિનાલય વિદ્યમાન હતું. કુલ સોળ આરસપ્રતિમા, અઢાર ધાતુપ્રતિમા અને પગલાંની એક જોડ હતી. સ્થિતિ સાધારણ હતી. જિનાલય સં. ૧૮૬૮માં બંધાયું હતું. તે મુજબની નોંધ મળે છે. સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં શ્રી સુરત ધરમચંદ ઉદયચંદ જૈન જીર્ણોદ્ધાર ફંડ દ્વારા કઠોર ગામના જિનાલયમાં રકમ આપ્યાની નોંધ છે. એટલે કે તે સમયે આ જિનાલય વિદ્યમાન હતું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy