________________
૨૦૬
સુરતનાં જિનાલયો શત્રુંજયનો એક પટ હતો. વહીવટ શેઠ નગીનદાસ પાનાચંદ શાહ હસ્તક હતો. જિનાલય બીજે માળ હતું. સ્થિતિ સાધારણ હતી. તે સમયે ગામમાં કુલ ૪૦ જૈનો તથા એક ઉપાશ્રય હતા. સં ૧૯૫૭માં શ્રી સંઘ દ્વારા જિનાલય બંધાયું હતું. પરંતુ સં૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી.
હાલ ફાગણ સુદ બીજની વર્ષગાંઠના દિવસે અમૃતલાલ નગીનદાસ શાહ પરિવાર દ્વારા ધજા ચડાવવામાં આવે છે. વહીવટ શ્રી સાયણ જૈન શ્વે, મૂક સંઘના ટ્રસ્ટીઓ – શ્રી અમરકુમાર ચંપકલાલ શાહ, શ્રી મુકેશભાઈ બાલુભાઈ શાહ તથા શ્રી નીલેશકુમાર સુરેશચંદ્ર શાહ હસ્તક છે. હાલ જિનાલયની સ્થિતિ મધ્યમ છે.
જૈન તીર્થ સર્વસંગ્રહના આધારે આ જિનાલયનો સમય સં. ૧૯૫૭નો માની શકાય તેમ છતાં આ અંગે વિશેષ સંશોધન કરવાની જરૂર છે.
ગામ - કામરેજ, તાલુકો - કામરેજ
૪. શ્રી નેમિનાથ (સં. ૨૦૪૨) કામરેજ ચાર રસ્તાથી ૨ કિ. મી.ના અંતરે ગામમાં શ્રી નમિનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે. ગામમાં હાલ નવ જૈન કુટુંબો છે. એક પાઠશાળા તથા જિનાલયની નીચે શ્રાવિકાનો ઉપાશ્રય છે. શ્રાવકો પ્રતિક્રમણ માટે કઠોર ગામે જાય છે.
સં. ૨૦૦૮માં અહીં ઘરદેરાસર તરીકે પ્રતિષ્ઠા થઈ હતી પરંતુ આ જિનાલયનો ઉલ્લેખ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં થયો નથી. ત્યારબાદ સં૨૦૪રમાં શ્રી નરદેવસાગરજી મ. સા.ની નિશ્રામાં પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જિનાલય ઉપરના માળે છે.
- જિનાલયમાં શત્રુંજયનો ચિત્રિત પટ છે. અહીં પૂર્વે શ્રી નમિનાથ, શ્રી શાંતિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી કુંથુનાથ – એમ કુલ ચાર ધાતુપ્રતિમા હતી તે પૈકી શ્રી પાર્શ્વનાથ અને શ્રી કુંથુનાથની પ્રતિમા ચોરાઈ ગયેલ હોવાથી હાલ માત્ર બે ધાતુપ્રતિમા છે. ૧૧” ઊંચી મૂળનાયક શ્રી નમિનાથની ધાતુપ્રતિમા છે.
જિનાલયની વર્ષગાંઠ વૈશાખ સુદ ત્રીજના દિને આવે છે. તે દિવસે જમણવાર થાય છે તથા ધજા ચડે છે. વહીવટ શ્રી કામરેજ જૈન સંઘના ટ્રસ્ટીઓ – શ્રી શીરીષચંદ્ર તારાચંદ સોલંકી, શ્રી વસંતલાલ નેમચંદ શાહ તથા શ્રી જયંતિભાઈ ગુલાબચંદ શાહ હસ્તક છે.
જિનાલય સં૨૦૪૨ના સમયનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org