SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૧૯૩ ટૂંકમાં આ જિનાલયની પ્રતિષ્ઠા સં ૨૦૩૯માં થયેલી છે. ભોંયરામાં બિરાજમાન શ્રી આદેશ્વર તથા શ્રી પુંડરીકસ્વામીની પ્રતિમા પર સં. ૨૦૫૦નો લેખ છે. મકનજી પાર્ક, અડાજણ પાટિયા ૧૨૧. સીમંધરસ્વામી (સં. ૨૦૫૪) અડાજણ પાટિયા, વિવેકાનંદ પુલના નાકે મકનજી પાર્કમાં શ્રી મકનજી પાર્ક શ્વે મૂ જૈન સંઘે બંધાવેલું શ્રી સીમંધરસ્વામીનું ધાબાબંધી નૂતન જિનાલય આવેલું છે. ૧૫” ઊંચી મૂળનાયક શ્રી સીમંધરસ્વામીની આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા છે. પ્રતિષ્ઠા સં. ૨૦૫૪માં વૈશાખ સુદ ૧૨ના દિને આ શ્રી જયઘોષસૂરિ મ૰ સાની નિશ્રામાં શ્રી ગુણવંતભાઈ શાહ પરિવાર દ્વારા કરવામાં આવી છે. અંકુર સોસાયટી, અડાજણ પાટિયા ૧૨૨. નમિનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૫૭) અડાજણ પાટિયા, રવીન્દ્ર પાર્કની પાછળ અંકુર સોસાયટીમાં ૨૧ નંમાં કાલીદાસભાઈ શાહ પરિવારનું શ્રી નનમનાથનું ઘરદેરાસર આવેલું છે. મૂળનાયક શ્રી નમિનાથની પંચતીર્થી ધાતુપ્રતિમા છે. પ્રતિષ્ઠા સં ૨૦૫૭માં માગશર સુદ ૬ને દિને થયેલ છે. દીપા કોમ્પ્લેક્ષ, અડાજણ રોડ ૧૨૩. વિમલનાથ અડાજણ રોડ પર દીપા કોમ્પ્લેક્ષમાં શ્રી વિમલનાથનું સામરણયુક્ત જિનાલય આવેલું છે. હાલ જિનાલયના બાંધકામનું કાર્ય ચાલુ છે. શ્રી વરધીલાલ મનસુખભાઈ ગાંધી પરિવાર દ્વારા સ્વદ્રવ્યથી આ જિનાલય બાંધવામાં આવ્યું છે. પ્રતિષ્ઠા બાકી છે. Jain Education International ૨૭” ઊંચી મૂળનાયક શ્રી વિમલનાથની પ્રતિમા મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત કરવામાં આવશે. ડાબી બાજુ શ્રી વાસુપૂજ્યસ્વામી તથા જમણી બાજુ શ્રી શાંતિનાથની આરસપ્રતિમા બિરાજમાન થશે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy