________________
૧૯૨
સુરતનાં જિનાલયો
૨૦૪૬ મહા સુદ ૬ના રોજ આ શ્રી વિજયકુમુદચંદ્રસૂરિ મ સા૰, આ. શ્રી વિજયપ્રબોધચંદ્રસૂરિની નિશ્રામાં થઈ હોવાની નોંધ છે. તે સંદર્ભમાં જિનાલયનો સમય સં. ૨૦૪૬ છે.
અડાજણ પાટિયા, રાંદેર રોડ ૧૨૦. શંખેશ્વર પાર્શ્વનાથ (સં. ૨૦૩૯)
અડાજણ પાટિયા, રાંદેર રોડ મેઇન રોડ પર આરસનું બનેલું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું ત્રણ માળનું, શિખરબંધી, ભવ્ય જિનાલય આવેલું છે.
જિનાલયના કંપાઉંડમાં શ્રી માણિભદ્રવીરની દેવકુલિકા, જિનાલયની પેઢીની ઑફિસ અને પરબ છે. જિનાલયનો રંગમંડપ વિશાળ છે. સ્થંભો વચ્ચે રંગીન કોતરણીયુક્ત તોરણો છે. બન્ને બાજુ ગોખમાં પદ્માવતીદેવી તથા પાર્શ્વયક્ષની આરસમૂર્તિઓ છે. છત પર પાર્શ્વનાથ ભગવાનના નવ ભવ અને પાંચ કલ્યાણકનું સુંદર ચિત્રકામ છે. અન્ય એક ગોખમાં આ શ્રી નેમિસૂરીશ્વરજી મ સાની આરસની ગુરુમૂર્તિ છે.
ત્રણ ગર્ભદ્વાર છે. મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા ૫૧” ઊંચી છે. કુલ અગિયાર આરસપ્રતિમા તથા ચાર ધાતુપ્રતિમા છે. ડાબે ગભારે શ્રી જીરાવલા પાર્શ્વનાથ તથા જમણે ગભારે શ્રી નાકોડા પાર્શ્વનાથ છે. મૂળનાયકની પ્રતિમા પર સં. ૨૦૩૯ના વૈશાખ સુદ ૧૧ના રોજ શ્રીમદ્ વિજયચંદ્રોદયસૂરીશ્વર મ. સા. તથા શ્રીમદ્ અશોકચંદ્રસૂરીશ્વર મ. સાની નિશ્રામાં શ્રી કનૈયાલાલ સોભાગચંદ પરીખ પરિવાર દ્વારા પ્રતિષ્ઠા કરાવ્યાનો લેખ છે.
ઉપરના માળે રંગકામયુક્ત શિખરમાં ઋષભ, ચંદ્રાનન, વારિષણ અને વર્ધમાન શાશ્વતા જિનેશ્વરની આરસની ચૌમુખી પ્રતિમા છે.
ભોંયરામાં મધ્યે પથ્થરમાંથી બનાવેલ શ્રી શત્રુંજય તીર્થની આબેહુબ રચના છે જેમાં આકર્ષક રંગકામ થયેલું છે. ડાબી બાજુ શ્રી પુંડરીકસ્વામી તથા જમણી બાજુ શ્રી આદેશ્વરની આરસપ્રતિમા કમલાસન પર બિરાજે છે. તે પૈકી શ્રી પુંડરીકસ્વામીની પ્રતિમા ૫૨ સં. ૨૦૫૦માં શ્રીમદ્ વિજયઅશોકચંદ્રસૂરિની નિશ્રામાં પ્રતિષ્ઠા કરાવ્યાનો તથા આદેશ્વરની પ્રતિમા પર સં ૨૦૫૦માં શ્રીમદ્ વિજયચંદ્રોદયસૂરિની નિશ્રામાં પ્રતિષ્ઠા થયાનો લેખ છે. અહીં ચારેબાજુ દીવાલે લેમીનેશન કરેલાં ૧૦૮ પાર્શ્વનાથના ફોટા મૂકવામાં આવ્યા છે.
-
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના ગભારામાં અગિયાર આરસપ્રતિમા, ભોંયરામાં બે અને ઉપરના માળે ચૌમુખજીની એક પ્રતિમા – એમ કુલ ચૌદ આરસપ્રતિમા છે. વહીવટદાર તરીકે શ્રી કાલિદાસ કાંતિલાલ શાહ, શ્રી નગીનલાલ કસ્તુરચંદ શાહ તથા શ્રી જયકુમાર લલ્લુભાઈ શાહ સેવાઓ આપે છે. દર કાર્તિકી પૂનમે ભાથું આપવામાં આવે છે. જિનાલયની પાછળ આરાધના ભવન તથા કાયમી વર્ધમાન તપ આયંબિલ શાળા છે અને તેની બાજુમાં શ્રાવિકાનો .ઉપાશ્રય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org