SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૧૯૧ રવચંદ સંઘવી તથા શ્રી ચંદ્રસેન ફકીરચંદ લાકડાવાળા સેવાઓ આપે છે. સં. ૨૦૫૪માં સુરત તીર્થ વંદુ કર જોડમાં આ જિનાલયની બધી પ્રતિમા મલાડ (ઇસ્ટ) દેના બેંક પાસેના જિનાલયમાંથી લાવવામાં આવી હોવાની નોંધ છે. શૈલેષ સોસાયટી, પાલનપુર પાટિયા ૧૧૯. વિમલનાથ (સં. ૨૦૪૬) પાલનપુર પાટિયા, રાંદેર રોડ પર શૈલેષ સોસાયટીમાં શ્રી વિમલનાથનું સામરણયુક્ત જિનાલય આવેલું છે. જિનાલય ઉપરના માળે છે. દાદર ચડતાં સામે જ શ્રી માણિભદ્રવીરનો ગોખ છે. બે પ્રવેશદ્વાર છે. રંગમંડપ મોટો છે. શ્રી વિમલનાથ તથા શ્રી સીમંધરસ્વામીના અધિષ્ઠાયક દેવ-દેવીઓના ગોખ છે. ગભારાનું બાંધકામ નથી. પરંતુ તેટલો ભાગ જુદો તરી આવે તેવી રચના છે. ફરતે પ્રદક્ષિણા થઈ શકે તેવી જગ્યા છે. અહીં કુલ છ આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા છે તથા શ્રી સીમંધરસ્વામીની એક આરસપ્રતિમા છે. ૧૭” ઊંચી મૂળનાયક શ્રી વિમલનાથની પ્રતિમા પર નીચે મુજબનો લેખ છે : ‘વિ. સં. ૨૦૪૫ વૈશાખ શુક્લ ૧૦ ચંદ્રવાસરે શ્રી વિમલનાથ જિનબિંબ (હાલ-સુરત) ખુબચંદ લલ્લુભાઈ વીરવાડિયા શ્રેયાર્થે ભાર્યા તારાબેન સુપુત્ર બચુભાઈ, રમેશભાઈ પુત્રવધૂ અ. સૌ ઇન્દિરાબેન - પૌત્રી અલ્પા, રૂપસ, મોના વીરવાડિયા પરિવારેણ નિર્માણ .. પ્રતિષ્ઠિત તપાઃ ....... શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરી, પટ્ટ આ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરે આ. શ્રી મનોહરકીર્તિસાગર સૂરિભિ આદિ સૂરીશ્વરે: સહિત .......... ૧૩” ઊંચી શ્રી સીમંધરસ્વામીની પ્રતિમા પરના લેખમાં આ. શ્રી પ્રેમસૂરિના શિષ્ય આ શ્રી જયઘોષસૂરિના શિષ્ય શ્રી અક્ષયબોધિવિજય મ. સારનું નામ વાંચી શકાય છે. શ્રી બચુભાઈ ખૂબચંદ વીરવાડિયા પરિવાર દ્વારા સ્વદ્રવ્યથી આ જિનાલય બંધાવવામાં આવ્યું છે. વહીવટ વીરવાડિયા પરિવાર હસ્તક હતો. આ. શ્રી જયઘોષસૂરિ મ. સા.ની પ્રેરણાથી સં. ૨૦૫૪માં જિનાલય શ્રી પાલનપુર પાટિયા જૈન છે. મૂ. સંઘને અર્પણ કર્યું છે. ગણિવર્ય શ્રી અક્ષયબોધિ મ. સા.ની પ્રેરણાથી સં. ૨૦૫૫માં માગશર વદ ૧ને તા૪-૧૨-૧૯૯૮ શુક્રવારના રોજ આઈ શ્રી જયઘોષસૂરિની નિશ્રામાં સામરણયુક્ત જિનાલયમાં પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. હાલ જિનાલયની વર્ષગાંઠ માગશર વદ એકમના દિને ઊજવવામાં આવે છે. વહીવટદાર તરીકે શ્રી ચંપકલાલ મણિલાલ શાહ, શ્રી ગુણવંતભાઈ દુર્લભભાઈ શાહ તથા શ્રી ભદ્રેશભાઈ જે. શાહ સેવાઓ આપે છે. સં. ૨૦૫૪માં પ્રકટ થયેલ સુરત તીર્થ વંદુ કર જોડમાં આ જિનાલયની પ્રતિષ્ઠા સંક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy