________________
૧૯૪
સુરતનાં જિનાલયો
સંઘવી ટાવર-૨, અડાજણ રોડ
૧૨૪. કુંથુનાથ અડાજણ રોજ ઉપર સરદાર બ્રીજની બાજુમાં સંઘવી ટાવર-રમાં શ્રી કુંથુનાથના શિખરબંધી જિનાલયના બાંધકામની કામગીરી ચાલી રહી છે. સેવંતીભાઈ રવચંદભાઈ કકલચંદ સંઘવી પરિવાર તરફથી ફાળવવામાં આવેલી જમીનમાં સં. ૨૦૫૩ના વૈશાખ સુદ ૧૦ના રોજ જિનાલયનું ખાતમુહૂર્ત થયું છે. સં. ૨૦૫૩ના આસો વદ ૮ના દિને ઝાલોરથી લાવેલ ૧૭” ઊંચી શ્રી કુંથુનાથની આરસપ્રતિમા હાલ મધ્યમ કદની એક રૂમમાં પરોણાગત છે. આજુબાજુમાં એક પંચતીર્થી અને એક ચોવીસી – એમ કુલ બે ધાતુપ્રતિમા છે. પ્રતિષ્ઠા બાકી છે.
ઈશિતા પાર્ક, અડાજણ રોડ
૧૨૫. આદેશ્વર અડાજણ રોડ પર સંઘવી ટાવર પાછળ, સરદાર બ્રીજની બાજુમાં આવેલ ઈશિતા પાર્કમાં બે માળનું મકાન છે. નીચે સ્વાધ્યાયખંડ અને ઉપરના માળે હાલમાં શ્રી આદેશ્વરની ૧૧” ઊંચી આરસપ્રતિમા પરોણા બિરાજે છે તથા એક ધાતુપ્રતિમા છે. હાલ વહીવટ પુણ્યપાવન જૈન સંઘના ટ્રસ્ટીઓ – શ્રી જયેશભાઈ યુ. શાહ, શ્રી બાબુભાઈ એમ. પરીખ તથા શ્રી સુરેશભાઈ સી. શાહ દ્વારા થાય છે.
નોંધ : ભવિષ્યમાં મૂળનાયક તરીકે શ્રી શીતલનાથની પ્રતિમા બિરાજમાન થશે.
રીવેરા ટાવર, અડાજણ રોડ
૧૨૬. વિનહર પાર્શ્વનાથ (સં. ૨૦૫૦) અડાજણ રોડ ઉપર સરદાર પુલના નાકે, લાલજીનગર પાસે રીવેરા ટાવરમાં ખૂણામાં લાલ-સફેદ રંગનું, સાદા પથ્થર તથા આરસનું બનેલું શ્રી વિનહર પાર્શ્વનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે.
રંગમંડપ મધ્યમ કદનો છે. ચક્રેશ્વરીદેવી, ગૌતમસ્વામી, પદ્માવતીદેવી તથા આ. શ્રી વિજયકસ્તુરસૂરિજીની ગુરુમૂર્તિના ગોખ છે. બહાર માણિભદ્રવીરની દેરી છે.
ત્રણ ગર્ભદ્વાર છે. ૧૭” ઊંચી (ફણા સાથે ૨૧”) મૂળનાયક શ્રી વિઘ્નહર પાર્શ્વનાથની સપરિકર પ્રતિમા સહિત કુલ પાંચ આરસપ્રતિમા તથા છ ધાતુપ્રતિમા છે. જમણે ગભારે શ્રી આદેશ્વર તથા ડાબે ગભારે શ્રી શાંતિનાથ છે. મૂળનાયકની જમણી બાજુ શ્રી કુંથુનાથ તથા જમણી બાજુ શ્રી સુપાર્શ્વનાથ છે. સ્થાનિક માહિતી પ્રમાણે મૂળનાયક પ્રતિમા અમદાવાદથી તથા અન્ય પ્રતિમા પાલીતાણાથી લાવી અત્રે પ્રતિષ્ઠિત કરેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org