SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો જળપ્રલયો નિહાળ્યા છે, કેટલાય દાવાનળો અનુભવ્યા છે, અનેકવાર લૂંટાયું છે. એવા અનેક કારમાં ઘા ઝીલ્યા છતાં આજે પોતાનું નામ દીપાવતું એ ઊભું છે. સુરતમાં એક સમયે ચોરાશી બંદરનો વાવટો ફરકતો હતો. ભારતવર્ષમાં એના કારીગરોની હોડમાં કોઈ ઊતરતું નહિ. શિવાજી મહારાજે અહીંની સંપત્તિ લૂંટીને પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરી હતી. અંગ્રેજો સુરતના સૌંદર્યથી લલચાયા હતા અને પોતાનું સૌ પહેલું થાણું અહીં નાંખ્યું હતું. સુરતનું સૌંદર્ય વધારવામાં અને એનો મહિમા ગાજતો કરવામાં જૈનોનું સ્થાન અગ્રેસર હતું. આજે પણ તેનું એ સ્થાન કેટલેક અંશે જળવાઈ રહેલું જોવાય છે. સુરતના ગોપીપુરા અને નાણાવટમાં ઝવેરીઓ અને નાણાવટીઓની ઊંચી અટ્ટાલિકાઓ એનું આપણને ભાન કરાવે છે. એમની દાનવીરતા ઇતિહાસના પાને અંકાયેલી છે. નગરશેઠ જગન્નાથભાઈ, ભણશાલી શેઠ, લક્ષ્મીદાસ તેમજ શાંતિદાસ શેઠની પ્રાચીન કાળની સખાવતો અને શેઠ પ્રેમચંદ રાયચંદ, શેઠ નગીનદાસ, શેઠ નગીનદાસ ઝવેરચંદ વગેરેએ કરેલાં દાનનાં સ્મારકો આજે પણ એમનો મહિમા ગાઈ રહ્યાં છે. આજે અહીં ઊભેલાં નાનાં-મોટાં ૧૩૬ જિનમંદિરો અહીંના દાનવીરોની યશોગાથા સંભળાવી રહ્યાં છે. આ જિનાલયો પૈકી કેટલાંક તો વિશાળ અને ભવ્ય છે. કેટલાંક પ્રાચીન છે ને વારંવારના જીર્ણોદ્ધારથી નવાં બન્યાં છે. સુરતમાં ૧૭મા સૈકા દરમ્યાનનાં આશરે ૮ જિનાલયો, ૧૮માં સૈકા દરમ્યાનનાં ૬ જિનાલયો, ૧૯મા સૈકા દરમ્યાનનાં ૧૫ જિનાલયો, ૨૦મા સૈકા દરમ્યાનનાં ૩૨ જિનાલયો તથા ૨૧મા સૈકા દરમ્યાન સં. ૨૦૫૦ સુધી ૩૩ જિનાલયો અને સં. ૨૦૫૧ આજ દિન પર્યત ૪૨ જિનાલયો એમ કુલ ૧૩૬ જિનાલયો વિદ્યમાન છે. સં. ૧૮૮૯માં ઉપાધ્યાય વિનયવિજયજી સૂર્યપુર ચૈત્યપરિપાટી ગૂ. પદ્યમાં રચી છે. તેમાં ૧૪ કડી છે. પ્રથમની ૧૧ કડીમાં સુરતનાં ૧૧ જિનાલયોનાં નામ આપ્યાં છે :- ૧. ઋષભદેવ, ૨. શાંતિનાથ, ૩. ધર્મનાથ, ૪. સુરતમંડણ પાર્શ્વનાથ, ૫. સંભવનાથ, ૬. ધર્મનાથનું બીજું, ૭. અભિનંદનસ્વામી, ૮. પાર્શ્વનાથનું બીજું ઉંબરવાડામાં, ૯, કુંથુનાથ, ૧૦. અજિતનાથ અને ૧૧. ચિંતામણિ પાર્શ્વનાથનું. આ રીતે ૧૧ પ્રધાન જિનમંદિરો સુરતમાં હતાં એ તે શહેરના શ્રાવકોની વિપુલ સમૃદ્ધિ સૂચવે છે. સં. ૧૭૯૩માં માગશર વદ ૧૦ ગુરુવારે કડવાગચ્છના લાધાશાહે સુરતમાં જેટલાં ચૈત્યો છે તેનાં નામ ઠામ સહિત વર્ણનરૂપે સૂરત ચૈત્યપરિપાટી નામની પદ્યકૃતિમાં અગાઉ ઉપાડ શ્રી વિનયવિજયજીએ ગણાવેલાં ૧૧ દેરાસરો પૈકી ૧૦ મોટાં દેરાસરો, ઉપરાંત ૨૩૫ દહેરાસર, ૩ ભોંયરા, ૩૯૭૨ પ્રતિમા, પંચતીર્થીની ૫ ધાતુપ્રતિમા, ચોવીસવટાની ૨૪ વગેરે ૧૦,૦૪૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy