________________
સુરતની જૈન પરંપરા
તાપી નદીના કાંઠે આવેલું સુરત શહેર ક્યારે વસ્યું એ વિશે જુદી જુદી માન્યતાઓ પ્રચલિત છે. એનું ‘સૂર્યપુર” એવું શાસ્ત્રીય નામ પ્રતિમાલેખો અને ગ્રંથોમાંથી મળી આવે છે પણ ૧૬મા સૈકા પહેલાંનો કોઈ લેખ મળી આવ્યો નથી.
શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ સુરતનો ક્રમબદ્ધ જૈન ઇતિહાસ આલેખતાં સુરત સંબંધી વિક્રમના ૧૬મા શતક વિશે નીચે મુજબની નોંધ મૂકે છે :
(૧) સં. ૧૫૧૩ વર્ષે પોષ સુદિ ૧૦ બુધ સૂર્યપુરવામિ શ્રીમાલ જ્ઞા. મ. પેથા ભા. સેગૃ પુત્ર મંદ હરરાજેન ભાઇ જઇતી સુત માલાદિ કુટુંબયુએન સ્વશ્રેયસે શ્રી શીતલનાથબિંબ કા. પ્ર. તપા શ્રી રત્નશેખરસૂરિ ગુરુભિઃ |
(૨) સં. ૧૫૧૯ માઘ શુદિ ૧૩ બુધે સૂર્યપુરે શ્રી શ્રીમાલી ગાંડ વરસિંગ ભાટ ટબકૂ પુ. ગાં દેવાકેન ભાઇ દેવલદે ભ્રાતૃ હેમાલયા સવરાજ મદનયુએન પુ. શ્રીપતિ શ્રેયાર્થે શ્રી વિમલનાથ બિંબ કાપ્રવૃદ્ધ તપા પક્ષે શ્રી ઉદયવલ્લભસૂરિભિઃ | બુદ્ધિસાગરજીનો સંગ્રહ ભા. ૧ નં. ૯૩૦
- (૩) સં. ૧૫૩૪ વર્ષે વૈ. વ. ૧૦ સુરતવાસી પ્રાગ્વાટ વ્ય. ધર્મા ભા. રાજૂસુત વણવીર ભાટ ઝરીનાન્યા સુત મહાકેન કુટુંબયતન શ્રી સુમતિબિંબ કા પ્ર. તપા શ્રી લક્ષ્મીસાગરસૂરિભિઃ | નાહરનો સંગ્રહ ભ૦ ૩, નં. ૨૩૫૩.
(૪) સં. ૧૫૩૯ વર્ષે માઘ વદિ ૪ સોમે સૂર્યપુર વાસ્તવ્ય શ્રીમાલ જ્ઞાતીય વસાહ જયતની ભાયં પ્રભૂ સુત વટ વુલા ભાર્યા કલદ સુત વ. સાધા ભાર્યા રામતિ શ્રેયાર્થે શ્રી અંચલગચ્છ શ્રી જયકેસરિસૂરિણામુપદેશેન શ્રી વિમલનાથબિંબ કારિત. સુરત પ્રતિમાલેખ સંગ્રહ નં. ૮૦.
ર૬ વર્ષમાં (સં. ૧૫૧૩ થી સં. ૧૫૩૯) ચાર પ્રતિષ્ઠાઓના ઉલ્લેખ પરથી સૂર્યપુરસુરત તે વખતે એટલે કે ૧૬મા સૈકામાં વૈભવશાળી સમૃદ્ધ શહેર હોવું જોઈએ. ઉપરાંત આ લેખો પરથી સમજાય છે કે તપાગચ્છના આચાર્યો રત્નશેખરસૂરિ અને તેમના પટ્ટધર લક્ષ્મીસાગરસૂરિએ, વૃદ્ધ (બૃહતું) તપાગચ્છના ઉદયવલ્લભસૂરિએ અને અંચલગચ્છના જયકેસરીસૂરિએ સુરતમાં પ્રવેશ કરી દીધો હતો.
૧૬મા સૈકાથી આજ સુધી આ નગરનો ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો છે. તેણે અનેક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org