SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ સુરતનાં જિનાલયો - ઘરદેરાસરમાં રંગબેરંગી હાંડીઓ છે. રૂમમાં ત્રણ બારી અને જાળિયું છે. નાનો કાષ્ઠભંડાર તથા કાઇનું ત્રિગડું છે. હાલ આ ઘરદેરાસરનો વહીવટ શ્રી આદિ-નેમનાથ જૈન દેરાસર પેઢી હસ્તક છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં લાલા ઠાકોરની પોળમાં શ્રી શાંતિનાથના શિખર વિનાના એક જિનાલયનો ઉલ્લેખ છે. બંધાવનારના નામમાં “વમલ-કપુર' દર્શાવેલ છે. તે સમયે કુલ બે ધાતુપ્રતિમા હતી અને સ્થિતિ સારી હતી. સં. ૧૯૬૮માં તીર્થગાઈડ(ભાગ-૧)માં રાનેર ગામમાં પાંચ જિનાલયો સાથે શાંતિનાથના એક ઘરદેરાસરનો ઉલ્લેખ છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં નિશાળફળી, રાંદેરમાં શ્રી અજિતનાથના. આ ઘરદેરાસરનો ઉલ્લેખ મળે છે. બંધાવનારના નામમાં શેઠ હીરાચંદ વમળચંદ તથા બંધાવ્યા સંવત ૧૯૫૦ આસપાસ દર્શાવેલ છે. સં. ૨૦૧૦માં માત્ર એક જ ધાતુપ્રતિમા હોવાની નોંધ છે. વહીવટ શ્રી ઋષભદેવ નાભિરાજાની પેઢીના ટ્રસ્ટી – શ્રી હીરાલાલ ગુલાબચંદ હસ્તક હતો અને ઘરદેરાસરની સ્થિતિ સારી હતી. સં. ૨૦૨૩માં શ્રી આદિ નેમનાથ જૈન દહેરાસરની પેઢી - રાંદેર દ્વારા પ્રકાશિત રાંદેરની જૈન અસ્મિતા નામની પુસ્તિકામાં – આ ઘરદેરાસર કોઈ ગૃહસ્થ પોતાના ઘરના એક ભાગમાં બંધાવ્યું હોવાની નોંધ કરવામાં આવી છે. સં. ૧૯૬૩માં ઘરદેરાસર બંધાવનારના નામમાં વમલકપુરના નામનો ઉલ્લેખ છે. મૂળનાયક શાંતિનાથ દર્શાવ્યા છે. સં. ૨૦૧૦માં હીરાચંદ વમળચંદે બંધાવેલા ઘરદેરાસરમાં મૂળનાયક અજિતનાથ દર્શાવ્યા છે. આજે પણ મૂળનાયક તરીકે અજિતનાથ છે. સં. ૧૯૬૩માં શાંતિનાથના ઘરદેરાસરમાં બે ધાતુપ્રતિમા વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે જે પૈકીની એક પ્રતિમા અજિતનાથની હોવાનો સંભવ છે. આજે શાંતિનાથની પ્રતિમા આ ઘરદેરાસરમાં નથી. અમારી માન્યતા પ્રમાણે આ જિનાલયનો સમય સં. ૧૯૬૩ પૂર્વેનો છે. સૈફી સોસાયટી, લંબે હનુમાન રોડ ૧૦૯. આદેશ્વર (સં. ૨૦૪૧) વરાછા રોડ, લંબે હનુમાન રોડ પર આવેલી શૈક્ષ સોસાયટીમાં અંદરના ભાગમાં આરસ તથા પથ્થરનું બનેલું શ્રી આદેશ્વરનું શિખરબંધી, ભવ્ય જિનાલય આવેલું છે. ત્રણ પ્રવેશદ્વાર છે. તેના પર અષ્ટમંગલ ઉપસાવવામાં આવ્યા છે. મધ્યમ કદના રંગમંડપમાં કુલ છ ગોખ છે. તે પૈકી ત્રણ ખાલી છે. અન્ય ગોખમાં પદ્માવતીદેવી, શાંતિનાથ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy