________________
સુરતનાં જિનાલયો
૧૮૩
વિશાળ ચોકમાં ડાબી બાજુ એક રૂમમાં આરસનાં પગલાંની દસ જોડ તથા દેવીની મૂર્તિ છે. પગલાં પૈકી એક પગલાં ૫૨ શ્રી વિજયદેવેન્દ્રસૂરિનું નામ વાંચી શકાય છે.
શૃંગારચોકીમાં સ્થંભો પર શિલ્પો તથા તોરણોની કોતરણી છે. ત્રણ પ્રવેશદ્વાર છે. મધ્યમ કદના રંગમંડપમાં છત પર સાદી કોતરણી થયેલી છે. આ શ્રી કુમુદચંદ્રસૂરિ, પદ્માવતીદેવી, યક્ષ તથા યક્ષિણીની આરસમૂર્તિના ગોખ છે.
ત્રણ કાષ્ઠના ગર્ભદ્વાર છે. ૨૭” ઊંચી મૂળનાયક શ્રી મનમોહન પાર્શ્વનાથની ધાતુની મનોહર પ્રતિમાને આરસનું પરિકર છે. મૂળનાયકની પાછળની દીવાલે આરસમાં સુંદર ચિત્રકામ છે. જમણી બાજુ શ્રી અજિતનાથ તથા ડાબી બાજુ શ્રી આદેશ્વરની પ્રતિમા સહિત કુલ પંદર આરસપ્રતિમા છે તથા એકવીસ ધાતુપ્રતિમા પૈકી એક રજતપ્રતિમા છે. શ્રી મહાવીરસ્વામીની ચોવીસી પ્રતિમા તથા વારિષણસ્વામીની આરસપ્રતિમા છે.
ઉપરના માળે શિખરમાં મૂળનાયક શ્રી અનંતનાથની પ્રતિમા સહિત કુલ પાંચ આરસપ્રતિમા છે. અન્ય એક દેરીમાં ચૌમુખીની આરસપ્રતિમ છે. પ્રતિમાલેખ નથી. ઐતિહાસિક સંદર્ભ
સં. ૧૯૬૮માં તીર્થગાઇડ(ભાગ-૧)માં પૃ. ૭૨ પર રાંદેર ગામમાં છ દેરાસરો વિદ્યમાન હોવાની નોંધ છે જેમાં શ્રી મનમોહન પાર્શ્વનાથના જિનાલયનો પણ ઉલ્લેખ થયેલો છે.
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં નિશાળફળિયાના મોટા દેરાસર વિસ્તારમાં પાર્શ્વનાથના જિનાલયને ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવ્યું છે. કુલ ચોવીસ આરસપ્રતિમા તથા ઓગણીસ ધાતુપ્રતિમાની નોંધ છે. બંધાયા સંવત ૧૭૦૦ લગભગ દર્શાવેલ છે. વહીવટ શ્રી ઋષભદેવ નાભિરાજાની પેઢીના ટ્રસ્ટી - હીરાલાલ ગુલાબચંદ હસ્તક હોવાની તથા સ્થિતિ સારી હોવાની નોંધ છે.
ટૂંકમાં આ જિનાલયનો સમય સં. ૧૯૬૮ પૂર્વેનો છે. પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૪૮માં થઈ હતી. જિનાલયની વધુ પ્રાચીનતા નક્કી કરવા માટે વધુ સંશોધનની જરૂર છે.
નિશાળફળી, રાંદેર
૧૦૮. અજિતનાથ (ઘરદેરાસર) (સં. ૧૯૬૩ પૂર્વે)
નિશાળફળીમાં ગલીમાં છેક છેવાડે એક મકાનમાં પહેલે માળ મધ્યમ કદના રૂમમાં આરસનું શ્રી અજિતનાથનું ઘરદેરાસર આવેલું છે..
એક કબાટમાં ૩' ઊંચી મૂળનાયક શ્રી અજિતનાથની પંચતીર્થી ધાતુપ્રતિમા બિરાજમાન છે. સં. ૧૮૫૩ના વૈશાખ સુદ છઠને સોમવારે બિંબ ભરાવ્યાનો તેના પર લેખ છે. અહીં માત્ર આ એક જ ધાતુપ્રતિમા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org