________________
૧૮૨
સુરતનાં જિનાલયો ભૂયરૂ એક અછે તિહાં ભ૦ ચૌદ દેરાસર સાર; ભo.
એકસો ત્રહતાલીસ બિંબનઈ ભ. પ્રણમીજે બહુ વાર. ભ. ૧૩
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં મોટા દેરાસરની પોળમાં ઋષભદેવના જિનાલયને ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવ્યું છે. તે સમયે કુલ ચોત્રીસ આરસપ્રતિમા તથા તેતાળીસ ધાતુપ્રતિમા હતી અને જિનાલયની સ્થિતિ સારી દર્શાવી હતી.
સુરતથી તાપી નદીનો પુલ ઓળંગી જમણી તરફ અઢી માઈલ દૂર “રાંદેર ગામ છે. અહિ આવી અહિંના દેરાસરોનાં દર્શન કરવાં. ૧. શ્રી શાંતિનાથનું લાલા ઠાકોરની પોળમાં, ૨. શ્રી આદેશ્વરનું, ૩. શ્રી નેમિનાથનું ઉત્તમરામની પોળમાં છે. ૪. શ્રી આદીશ્વરનું, ૫. શ્રી મનમોહન પાર્શ્વનાથનું અને ૬. શ્રી શાંતિનાથનું ઘરદેરાસર. આ એ દેરાસરો ઘણાં સુંદર અને ખાસ દર્શનીય છે. – એ મુજબની નોંધ સં. ૧૯૬૮માં તીર્થગાઈડ(ભાગ-૧)માં પૃ. ૭ર ઉપર
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયમાં કુલ પાંત્રીસ આરસપ્રતિમા તથા બેતાળીસ ધાતુપ્રતિમા હોવાની નોંધ છે. લેખ સંવત ૧૬૮૩ હોવાની તથા જિનાલય બંધાયા સંવત ૧૮૦૦ લગભગ દર્શાવેલ છે. વહીવટ શ્રી ઋષભદેવ નાભિરાજાની પેઢીના ટ્રસ્ટી – હીરાલાલ ગુલાબચંદ હસ્તક હોવાનો તથા જિનાલયની સ્થિતિ સારી હોવાનો ઉલ્લેખ છે. ઉપરાંત વિશાળ જિનાલયમાં ત્રણ અલગ ગભારા હોવાની વિશેષ નોંધ પણ છે.
આજે જિનાલયનો વહીવટ શ્રી આદિ-નેમનાથ જૈન દેરાસર પેઢીના ટ્રસ્ટીઓ – શ્રી ભૂપેન્દ્રભાઈ છોટાલાલ શાહ તથા હિતેશભાઈ નવનીતલાલ શાહ હસ્તક છે.
સં. ૧૭૯૩માં શાનેરમાં ચૌદ જિનાલયો વિદ્યમાન હતાં. સં૧૯૬૩માં ચાર જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. સં. ૧૯૬૮માં છ જિનાલયો વિદ્યમાન હોવાની નોંધ મળે છે. સં ૨૦૧૦માં ચાર જિનાલયો હોવાની નોંધ છે. આજે અહીં કુલ પાંચ જિનાલયો વિદ્યમાન છે. તે પૈકી આ જિનાલયનો સમય સં. ૧૬૮૩ આસપાસનો છે.
નિશાળફળી, રાંદેર ૧૦૭. મનમોહન પાર્શ્વનાથ (સં. ૧૯૬૮ પૂર્વે) રાંદેર, નિશાળફળી, બોટાવાળા માર્ગ પર ભગુભાઈની પોળ આવેલી છે. અહીં આરસનું બનેલું શ્રી મનમોહન પાર્શ્વનાથનું બે માળનું શિખરબંધી જિનાલય આવેલું છે. ઉપરના માળે શિખરમાં મૂળનાયક શ્રી અનંતનાથ છે.
આમૂલચૂલ જીર્ણોદ્વાર પછી સં. ૨૦૪૮માં માગશર સુદ ૧૦ના રોજ આ શ્રી વિજયપ્રબોધચંદ્રસૂરિની નિશ્રામાં પ્રતિષ્ઠા કરવામાં આવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org