SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૧૮૧ પ્રમાણે પૂર્વે જિનાલય ત્રણ માળનું હતું, જર્જરિત થવાથી ત્રીજા માળ પરની પ્રતિમા નીચેના ગભારામાં પધરાવી છે. કાષ્ઠનો એક પ્રવેશદ્વાર છે. રંગમંડપ વિશાળ છે. સ્થંભો પર સોનેરી રંગમાં તીર્થકર, યક્ષ, યક્ષિણી તથા દેવો વગેરેનું ચિત્રાંકન કાચથી મઢી આકર્ષક બનાવેલું છે. સ્થંભોના શિરોભાગે વિવિધ નૃત્યમુદ્રામાં કાષ્ઠપૂતળીઓ નજરે પડે છે. શત્રુંજય તીર્થનો પટ છે. કાષ્ઠના ત્રણ ગર્ભદ્વાર છે. ગભારાની છતમાં રંગકામયુક્ત નંદીશ્વરદ્વીપનો જીર્ણ પટ છે. ૩૧” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની મનોહારી પ્રતિમા પર નીચે મુજબનો લેખ છે : ‘સંવત ૧૬૮૩ વર્ષે ફાગણ વદી ૧૪ ... શ્રી હીરવિજયસૂરિ .... વિજયતિલકસૂરિ ...... ભટ્ટારક વિજયાનંદસૂરિભિઃ' જમણા ગભારે શ્રી વિઘ્નહર પાર્શ્વનાથ તથા ડાબા ગભારે શ્રી જગવલ્લભપાર્શ્વનાથની ભવ્ય પ્રતિમા છે. કુલ પચીસ આરસપ્રતિમા તથા અઠ્ઠાવન ધાતુપ્રતિમા પૈકી એક ચૌમુખી છે. ઉપરના માળે ત્રણ અલગ ગભારા પૈકી મધ્યેના ગભારામાં ૧૭” ઊંચી મૂળનાયક શ્રી સુમતિનાથની પ્રતિમા સહિત કુલ ત્રણ આરસપ્રતિમા છે. તેની જમણી બાજુ ગભારામાં ચૌમુખજી- શ્રી વાસુપૂજયસ્વામી, શ્રી ગોડી પાર્શ્વનાથ, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને ચિંતામણિ પાર્શ્વનાથ બિરાજે છે. દરેક પ્રતિમા ૧૯” ઊંચાઈની છે. ચારેય પ્રતિમા પર સં. ૧૮૫૭નો લેખ છે. ડાબી બાજુ ગભારામાં ૨૧” ઊંચી શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમા સહિત કુલ ત્રણ આરસપ્રતિમા છે. એક દીવાલ પર ખૂબ ઝાંખા રંગોમાં દોરેલા શત્રુંજય, આબુ, ગિરનાર તથા સમેતશિખરના પટ છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૧૬૮૯માં ઉપાડ વિનયવિજયકૃત સુરત ચૈત્યપરિપાટીમાં રાનેરમાં આદેશ્વરના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયો છે : આવો એ આવો એ રાનેર જાઇએ, પૂજઈ પૂજઈ રાજુલકંત કે, સમરથ સામી સામલો એ, ભેટીએ ભેટીએ ઋષભ નિણંદ કે, - આવો એ રાને જાઈએ. સં. ૧૭૯૩માં લાધાશાહકૃત સુરત ચૈત્યપરિપાટીમાં રાનેરમાં કુલ ચૌદ જિનાલયો હોવાની નોંધ છે જે નીચે મુજબની પંક્તિઓમાં છે : નગરથી બાહિર પુરાતણા ભ ભેટીયા ત્રીભોવન ઈસ. ભ૦ ૧૧ , સુરતથી મનમોદસુ ભ જઈ રાનેર મુઝાર; ભ. શ્રીજિનબિંબ જોહારીયે ભવે તે સુણજો નરનાર, ભ. ૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy