SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ સુરતનાં જિનાલયો ત્રણ કાષ્ઠના પ્રવેશદ્વાર છે. ૧૭” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની પ્રાચીન પ્રતિમા છે જેના પર સં. ૧૪૩૯ના લેખનો ઉલ્લેખ જૈન તીર્થ સર્વસંગ્રહમાં કરવામાં આવ્યો હતો. ડાબી બાજુ શ્રી ધર્મનાથની પ્રતિમા પર સં. ૧૮પનો લેખ તથા જમણી બાજુ શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા પર સં. ૧૬૬૪નો લેખ દે, ડાબા ગભારે શ્રી વાસુપૂજયસ્વામી તથા જમણા ગભારે શ્રી નેમિનાથ છે. કુલ અગિયાર આરસપ્રતિમા તથા બાવીસ ધાતુપ્રતિમા છે. પગલાંની બે જોડ છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં લાલા ઠાકોરના મહોલ્લામાં દર્શાવેલ ઋષભદેવના આ જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. કુલ અગિયાર આરસપ્રતિમા, તેવીસ ધાતુપ્રતિમા તથા પગલાંની બે જોડ વિદ્યમાન હતી. જિનાલયની સ્થિતિ અપૂર્ણ દર્શાવી હતી. ઉપરાંત વિશેષ નોંધમાં બંધાય છે તેવી નોંધ છે. સં. ૧૯૬૮માં તીર્થગાઇડ(ભાગ-૧)માં રાંદેર ગામમાં પાંચ જિનાલયો તથા એક ઘરદેરાસર મળીને કુલ છ જિનાલયો હોવાની નોંધ છે. આજે વિદ્યમાન આદેશ્વરના બન્ને જિનાલયોનો તે સમયે પણ ઉલ્લેખ મળે છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં નાની ગલીમાં આવેલા આદેશ્વરના આ જિનાલયને ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવ્યું છે. કુલ અગિયાર આરસપ્રતિમા, પચીસ ધાતુપ્રતિમા, એક રજત ચોવીસીપટ તથા નવખંડા પાર્શ્વનાથની પ્રાચીન મૂર્તિ હોવાની નોંધ છે. લેખ સંવતમાં ૧૪૩૯ દર્શાવેલ છે. વહીવટ શ્રી ઋષભદેવ નાભિરાજાની પેઢી હસ્તક હોવાનો તથા સ્થિતિ સારી હોવાની નોંધ છે. આજે પણ આ જિનાલયમાં કુલ અગિયાર આરસપ્રતિમા છે અને વહીવટ રાંદેર જૈન સંઘના ટ્રસ્ટીઓ – શ્રી સુરેન્દ્રભાઈ શાંતિલાલ શાહ, શ્રી હર્ષદભાઈ ધનસુખલાલ શાહ હસ્તક છે. ઉપર્યુક્ત માહિતીના આધારે આ જિનાલયનો સમય સં. ૧૯૬૩ આસપાસનો કહી શકાય. પ્રતિમાઓ પ્રાચીન છે. તે સંદર્ભમાં વધુ પ્રાચીનતા નક્કી કરવા માટે વધુ આધારભૂત પુરાવાઓ તથા સંશોધન જરૂરી છે. નિશાળફળી, રાંદેર ૧૦૬. આદેશ્વર (મોટું જિનાલય) (સં. ૧૬૮૩ આસપાસ) રાંદેરમાં નિશાળફળીમાં શ્રી મનમોહન પાર્શ્વનાથ જિનાલયથી આગળ જતાં ડાબા હાથે ગલીમાં આરસ તથા પથ્થરનું બનેલું શ્રી આદેશ્વરનું બે માળનું પ્રાચીન, ધાબાબંધી જિનાલય આવેલું છે. જિનાલય મોટા દેરાસર તરીકે ઓળખાય છે. અહીં કાષ્ટકોતરણી, નકશીકામ, પ્રાચીન ચિત્રકામ અતિસુંદર છે. સ્થાનિક માહિતી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy