________________
સુરતનાં જિનાલયો
સમરથ સામી સામલો એ,
ભેટીએ ભેટીએ ઋષભ જિણંદ કે, આવો એ રાનેર જાઇએ.
સં. ૧૭૨૮માં ઉપાધ્યાય વિનયવિજયે રાનેરમાં ચોમાસું કર્યું હતું. તે સમયે નેમિનાથ બારમાસ સ્તવનની રચના કરી હતી.
સંવત સતર અઠાવીસઇ, રહી રાંને ચોમાસ રાજુલનેમિ સંદેસડો, ગાયો હરખ ઉલ્લાસ.
૨૭
આ ઉપરાંત તેમણે અહીં જ સં. ૧૭૨૯માં પુણ્યપ્રકાશનું સ્તવન, સં. ૧૭૩૮માં ભગવતીસૂત્ર સજ્ઝાય અને શ્રી શ્રીપાલરાસની રચના કરી હતી.
૧૭૯
સં. ૧૭૯૩માં કવિ લાધાશાહષ્કૃત સુરત ચૈત્યપરિપાટીમાં રાનેરમાં ચૌદ જિનાલય હોવાની નોંધ છે જે પૈકી આ જિનાલય વિદ્યમાન હોવાનો પૂરો સંભવ છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં લાલા ઠાકોરની પોળ, રાંદેરમાં નૈમિનાથના આ જિનાલયને ધાબાબંધી- જિનાલય તરીકે દર્શાવ્યું છે. કુલ વીસ આરસપ્રતિમા તથા છવ્વીસ ધાતુપ્રતિમા હતી અને જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૧૯૬૮માં તીર્થગાઇડ(ભાગ-૧)માં રાંદેર ઉત્તમરામની પોળમાં નેમનાથના આ જિનાલયનો ઉલ્લેખ મળે છે.
Jain Education International
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં રાંદેરમાં નાની ગલી, લાલા ઠાકોરની પોળ વિસ્તારમાં આ જિનાલયને ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવ્યું છે. તે સમયે કુલ ઓગણીસ આરસપ્રતિમા તથા પચીસ ધાતુપ્રતિમા હતી. વહીવટ શ્રી ઋષભદેવ નાભિરાજાની પેઢીના ટ્રસ્ટી હીરાલાલ ગુલાબચંદ હસ્તક હતો અને સ્થિતિ સારી હતી. ત્રણ અલગ ગભારા હોવાની નોંધ છે. ટૂંકમાં આ જિનાલયનો સમય સં ૧૬૮૯ પૂર્વેનો છે.
લાલા ઠાકોરની પોળ, રાંદેર
૧૦૫. આદેશ્વર (સં. ૧૯૬૩ આસપાસ)
લાલા ઠાકોરની પોળમાં, નાની ગલીમાં, ચક્રેશ્વરી એપાર્ટમેન્ટ સામે આરસનું બનેલું શ્રી આદેશ્વરનું ધાબાબંધી જિનાલય આવેલું છે.
રંગમંડપમાં ચક્રેશ્વરીદેવીની મૂર્તિ છે. દીવાલે સિદ્ધાચલ, સમેતશિખર, ગિરનાર તથા સિદ્ધચક્ર યંત્રના ચિત્રિત પટ છે. ફરસ આરસની છે. છતમાં મધ્યે સુંદર ઝુમ્મર છે. તેને ફરતે સાદી કોતરણી છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org