________________
સુરતનાં જિનાલયો
૧૮૫ તથા મુનિસુવ્રતસ્વામી બિરાજે છે.
એક ગર્ભદ્વાર છે. ૨૩” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત પ્રતિમા સહિત કુલ ત્રણ આરસપ્રતિમા છે. જમણે ગભારે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તથા ડાબે ગભારે શ્રી અમીઝરા પાર્શ્વનાથ બિરાજમાન છે. મૂળનાયક પર સં૨૦૪૧નો લેખ છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૪૧ વૈશાખ વદ છઠને શુક્રવારે તા. ૧૦-૫-૧૯૮૫ના દિને આ. શ્રી સુબોધસાગરસૂરિ તથા આ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરિની નિશ્રામાં કરવામાં આવી હતી. પ્રતિષ્ઠાનો લાભ ચિત્રોડાનિવાસી શ્રી પરસોત્તમભાઈ શાહ પરિવારે લીધો હતો.
જિનાલયમાં કુલ પાંચ આરસપ્રતિમા તથા આઠ ધાતુપ્રતિમા છે. જિનાલયનો વહીવટ શ્રી આદેશ્વર જૈન જિનાલય સૈફ સોસાયટી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ- શ્રી વાલચંદભાઈ મૂળચંદ મહેતા, શ્રી નાનજીભાઈ લાલજીભાઈ શેઠ તથા શ્રી ભંવરલાલ શેરમલજી રાઠોડ હસ્તક છે.
રામકૃષ્ણ સોસાયટી, લંબે હનુમાન રોડ
* ૧૧૦. સંભવનાથ (સં. ૨૦૫૨) - લંબે હનુમાન રોડ, રામકૃષ્ણ સોસાયટીમાં આરસ તથા પથ્થરનું બનેલું શ્રી સંભવનાથનું ઊંચું, શિખરબંધી, ભવ્ય નૂતન જિનાલય આવેલું છે. દૂરથી જ ૭૨ ફૂટ ઊંચા શિખર પર લહેરાતી ધજા ભાવિકોને લોહચુંબકની પેઠે આકર્ષે છે !
જિનાલયની રચના સુરતનાં અન્ય જિનાલયો કરતાં જુદી તરી આવે છે. જિનાલયના નીચેના ભાગમાં આરાધના ભવન અને તેની નીચે અન્ડર ગ્રાઉન્ડ હોલ છે.
એક પ્રવેશદ્વાર છે. આજુબાજુ બારીઓ છે. રંગમંડપ વિશાળ છે. સામરણયુક્ત ઘુમ્મટમાં સાદી કોતરણી છે. ફરસ આરસની છે. પ્રવેશદ્વારની બન્ને બાજુની દીવાલોએ ગોખમાં યક્ષયક્ષિણીની આરસમૂર્તિઓ છે. ગર્ભદ્વાર પાસે જમણી બાજુ ગોખમાં મુનિસુવ્રતસ્વામી તથા ડાબી બાજુ ગોખમાં વર્ધમાનસ્વામી છે. રંગમંડપની બન્ને બાજુ સામરણયુક્ત દેવકુલિકા છે. જમણી બાજુ દેવકુલિકામાં નાકોડાભૈરવ તથા ડાબી બાજુ દેવકુલિકામાં પદ્માવતીદેવીની આરસમૂર્તિ બિરાજે છે.
એક ગર્ભદ્વાર છે. મોટા ગભારામાં ૨૩” ઊંચી મૂળનાયક શ્રી સંભવનાથની પરિકરયુક્ત નયનરમ્ય પ્રતિમા છે. જમણે ગભારે શ્રી આદેશ્વર તથા ડાબે ગભારે શ્રી સુમતિનાથ છે. કુલ આઠ આરસપ્રતિમા તથા પાંચ ધાતુપ્રતિમા છે.
જિનાલયની પ્રતિષ્ઠા સં. ૨૦૫રમાં આ. શ્રી પ્રબોધચંદ્રસૂરિ મ. સા.ની નિશ્રામાં કરવામાં આવી હતી. પ્રતિષ્ઠાનો લાભ શ્રી ખાન્તિલાલ હરિલાલ વોરા પરિવારે લીધો હતો. હાલ જિનાલયની વર્ષગાંઠ મહા સુદ છઠ છે. વહીવટ શ્રી વરાછા રોડ જૈન શ્વેમૂ. સંઘના ટ્રસ્ટીઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org