________________
૧૭૬
સુરતનાં જિનાલયો
શંખેશ્વર પાર્શ્વનાથની ૫” ઊંચી ધાતુપ્રતિમા અત્રે લાવવામાં આવેલ. ત્યારબાદ સં. ૨૦૫૧માં આ. શ્રી સુબોધસાગરસૂરિની નિશ્રામાં પ્રતિષ્ઠા કરવામાં આવી છે.
મૂળનાયક ધાતુપ્રતિમા ઉપરાંત અઢાર અભિષેક કરેલ ગૌતમસ્વામી તથા સરસ્વતીદેવીની ધાતુમૂર્તિ છે. આશરે ૪૦ વ્યક્તિઓ દરરોજ સેવા-પૂજાનો લાભ લે છે તથા દરરોજ સ્નાત્ર ભણાવવામાં આવે છે.
સરેલાવાડી, ઘોડદોડ રોડ
૧૦૦. આદેશ્વર (સં. ૨૦૪૬) ઘોડદોડ રોડ પર સૂર્યકિરણ ફૂલેટની ગલીમાં ગ્રે તથા સફેદ રંગથી શોભિત, આરસનું બનેલું શ્રી આદેશ્વરનું શિખરબંધી જિનાલય આવેલું છે. જિનાલય શ્રી હિંમતભાઈ બંકર પરિવારે બંધાવેલ છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૪૬ના વૈશાખ સુદ ૬ને સોમવારે શ્રી અશોકસાગરજી મ. સા.ની નિશ્રામાં શ્રી મહેન્દ્રભાઈ હિંમતલાલ બેંકર પરિવાર દ્વારા કરવામાં આવી છે.
પ્રવેશતાં છાપરાબંધ ચોક છે. પ્રવેશદ્વાર અને તેની આજુબાજુ બારીઓ પર અષ્ટમંગલ ચિત્રિત કરેલા છે. રંગમંડપમાં જમણી બાજુ ગોખમાં માણિભદ્રવીર તથા ડાબી બાજુ ગોખમાં શ્રી આનંદસાગરસૂરિની આરસમૂર્તિ છે. તેના પર સં. ૨૦૪૬ વૈ. સુ. ૬ને દિને શ્રી અશોકસાગર મ. સાની ઉપદેશથી મહેન્દ્રભાઈ બેંકર દ્વારા પ્રતિષ્ઠા કરાવ્યાનો લેખ છે. ગૌમુખયક્ષ તથા ચક્રેશ્વરીદેવીની આરસમૂર્તિઓના ગોખ છે. શત્રુંજય તથા સમેતશિખરનો ચિત્રિત પટ છે. અહીં એક દીવાલે આરસની તકતી પર એક લેખ છે જે નીચે મુજબ છે :
શ્રી અશોકસાગર મ. સા.ની પ્રેરણાથી શ્રી મહેન્દ્રભાઈ બંકર પરિવારે સ્વદ્રવ્યથી સં. ૨૦૪૬ વૈ. સુ ને સોમવારે પ્રતિષ્ઠા કરાવી.
એક કાષ્ઠનો ગર્ભદ્વાર છે. આજુબાજુ બારીઓ છે. ૧૯” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની પ્રતિમા પર સં. ૨૦૪૦માં શ્રી વિજયચંદ્રોદયસૂરિ દ્વારા અંજનશલાકા કરાવ્યાનો લેખ છે. ડાબી જમણી બાજુ બારી સન્મુખ શ્રી પાર્શ્વનાથની પ્રતિમા બિરાજે છે. કુલ સાત આરસપ્રતિમા તથા પાંચ ધાતુપ્રતિમા છે.
સિદ્ધચક્ર એપાર્ટમેન્ટ પાસે ૧૦૧. સીમંધરસ્વામી (ઘરદેરાસર) (સં. ૨૦૪૫) ઇચ્છાનાથ રોડ, ઉમરા જકાતનાકા, લોકભારતી સ્કૂલની સામે, વૃંદાવન સોસાયટી પાસે, સિદ્ધચક્ર એપાર્ટમેન્ટની પાછળ શ્રી સૂર્યકાન્તભાઈ ખીમચંદ કાપડિયાના ઘરમાં ચોથા માળે નાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org