SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૧૭૭ રૂમમાં શ્રી સીમંધરસ્વામીનું ઘરદેરાસર આવેલું છે. આઇ શ્રી રાજયશસૂરિ મ. સા.ની નિશ્રામાં ભરૂચમાં અંજનશલાકા કરાવેલ શ્રી સીમંધરસ્વામીની ૯” ઊંચી પંચધાતુ પ્રતિમા સં૨૦૪૫ના મહા સુદ ચૌદશના દિને પોતાના માતા-પિતાના શ્રેયાર્થે શ્રી સૂર્યકાન્તભાઈ કાપડિયાએ અત્રે પધરાવેલ છે. કુલ છ ધાતુપ્રતિમા છે તથા ગૌતમસ્વામીની એક ધાતુમૂર્તિ છે. ત્રિભુવન કોપ્લેક્ષ, ઘોડદોડ રોડ ૧૦૨. શાંતિનાથ (સં. ૨૦૫૦) ઘોડદોડ રોડ, અઠવાલાઈન્સ વિસ્તારમાં ત્રિભુવન કોપ્લેક્ષમાં પ્રવેશતાં સામે શ્રી શાંતિનાથનું નાનું, આરસનું સામરણયુક્ત જિનાલય છે. - શ્રી મણિલાલ ડાહ્યાભાઈ પરિવાર તથા શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ પરિવારે સાધ્વીજી શ્રી નયપૂર્ણાશ્રીજી તથા સાધ્વીજી શ્રી પૂર્ણપ્રભાશ્રીજીની પ્રેરણાથી આ જિનાલય બંધાવી સં. ૨૦૫૦ ચૈત્ર વદ ૬ને તા. ૧-૫-૧૯૯૪ના દિને આ. શ્રી યશોવર્મસૂરિજીની નિશ્રામાં પ્રતિષ્ઠા કરાવેલ છે. - પ્રવેશદ્વાર એક છે. રંગમંડપ નાનો છે. અહીં શત્રુંજયનો નાનો પટ છે. પુંડરીકસ્વામી ' તથા ગૌતમસ્વામીની આરસમૂર્તિઓના ગોખ છે. એક ગર્ભદ્વાર છે. ૨૧” ઊંચી મૂળનાયક શ્રી શાંતિનાથની નયનરમ્ય પ્રતિમા છે. રંગકામયુક્ત ભામંડલ છે. પ્રતિમા પર સં. ૨૦૫૦માં ચૈત્ર વદ ૫ના રોજ અંજનશલાકા કરાવ્યાનો લેખ છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા ચાર ધાતુપ્રતિમા છે. મૂળનાયકની જમણી બાજુ આદેશ્વર તથા ડાબી બાજુ મહાવીરસ્વામી બિરાજે છે. | વહીવટ શ્રી ચીમનલાલ મણિલાલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ – શ્રી જગદીશભાઈ મણિલાલ શાહ, શ્રી સંજયભાઈ બિપીનચંદ્ર શાહ, શ્રી મીતુલભાઈ જગદીશભાઈ શાહ તથા શ્રી સુનિલભાઈ બિપીનચંદ્ર શાહ દ્વારા થાય છે. ૩, સીમા રો હાઉસ, ઘોડદોડ રોડ ૧૦૩. અજિતનાથ (ઘરદેરાસર) ઘોડદોડ રોડ પર ખેતીવાડી ફાર્મ પાસે, સીમા રો હાઉસમાં શ્રી સેવંતીલાલ ટી. મહેતા પરિવારનું શ્રી અજિતનાથનું ઘરદેરાસર આવેલું છે. મૂળનાયક શ્રી અજિતનાથની માત્ર એક ધાતુપ્રતિમા છે. પ્રતિષ્ઠા આજથી લગભગ બે વર્ષ પહેલાં ફાગણ વદ ૧૧ના રોજ આ. શ્રી જગવલ્લભસૂરીશ્વરજીની નિશ્રામાં થયેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy