________________
સુરતનાં જિનાલયો
૧૭૫
પ્રતિષ્ઠા સં૨૦૩૪ના આસો સુદ દશમના દિને ડૉ. રમેશભાઈ વીરચંદ શાહ પરિવાર દ્વારા આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વર મસા.ની નિશ્રામાં કરવામાં આવી હતી.
રવિછાયા એપાર્ટમેન્ટ, ઘોડદોડ રોડ
૯૭. સંભવનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૫૬) અઠવાલાઇન્સ, ઘોડદોડ રોડ પર લુડ્ઝ કોન્વેન્ટ સ્કૂલની સામે રવિછાયા એપાર્ટમેન્ટમાં ૮ એ નંદના ફૂલેટમાં શ્રી અશ્વિનભાઈ શાંતિલાલ શાહ પરિવારનું શ્રી સંભવનાથનું ઘરદેરાસર આવેલું છે.
૧૧” ઊંચી મૂળનાયક શ્રી સંભવનાથની માત્ર એક આરસપ્રતિમા છે. પ્રતિષ્ઠા સંક ૨૦૫૬ ફાગણ સુદ ૭ તા. ૧૨-૩-૨૦૦૦ના રોજ આ. શ્રી જગવલ્લભસૂરિજીની નિશ્રામાં થયેલ છે.
રવિજ્યોત એપાર્ટમેન્ટ, ઘોડદોડ રોડ
૯૮. સુમતિનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૫૫) અઠવાલાઇન્સ, ઘોડદોડ રોડ પર લુડ્ઝ કોન્વેન્ટ સ્કૂલની સામે, મેઘમયૂરની બાજુમાં રવિજયોત એપાર્ટમેન્ટમાં ત્રીજે માળ રાબી નંના ફ્લેટમાં શ્રી રજનીકાન્તભાઈ મનહરલાલ શાહ પરિવારનું શ્રી સુમતિનાથનું ઘરદેરાસર આવેલું છે.
૧૧” ઊંચી મૂળનાયક શ્રી સુમતિનાથની માત્ર એક આરસપ્રતિમા છે. પ્રતિષ્ઠા સં. ૨૦૫૫ ફાગણ વદ ૮ના રોજ શ્રી જગવલ્લભવિજયજી મ. સા.ની નિશ્રામાં થયેલ છે.
રવિજ્યોત એપાર્ટમેન્ટ, ઘોડદોડ રોડ
૯૯. શંખેશ્વર પાર્શ્વનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૧૧) ઘોડદોડ રોડ, અઠવાલાઇન્સ પર આવેલ લુડ્ઝ કોન્વન્ટ સ્કૂલની સામે રવિછાયાની ગલીમાં, મેઘમયૂરની બાજુમાં રવિજયોત બિલ્ડિંગમાં ભોંયતળિયે શ્રી અમિતભાઈ વસંતભાઈ શાહ (બારડોલીવાળા) પરિવારનું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું ઘરદેરાસર આવેલું છે.
શ્રી અમિતભાઈના માતુશ્રી હંસાબહેન વસંતલાલના પ00 આયંબિલના પારણા નિમિત્તે સં. ૨૦૪૭માં ફાગણ સુદ ૩ના રોજ પૂ. ચંદ્રશેખરવિજયજી મ. સા.ના શિષ્ય પૂ. મેઘદર્શનવિજયજીની પ્રેરણાથી નવસારીના શ્રી મહાવીર સ્વામીના (કમળ આકારનું) જિનાલયમાંથી શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org