SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ સુરતનાં જિનાલયો આદિની મહાન પ્રતિષ્ઠા શ્રી ધર્મવર્ધક ગેલેક્ષી જૈન છે. મૂ. સંઘે અભુતપૂર્વ ઉલ્લાસને ઉમંગ સાથે સપ્તાત્વિકા મહોત્સવપૂર્વક સં. ૨૦૫૩ મહા સુદી ૧૩ ગુરુ પુષ્યામૃત સિદ્ધિયોગે તા. ૨૦-૨-૧૯૯૭ના કરાવી છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં હારીજથી ૧૫ ગાઉ દૂર આવેલ કુવર ગામમાં શ્રી મહાવીરસ્વામીના એક શિખરબંધી જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે ગામમાં ૨૦ જૈન કુટુંબો રહેતા હતા તથા એક ઉપાશ્રય હતો. જિનાલયમાં કુલ ત્રણ આરસપ્રતિમા તથા પાંચ ધાતુપ્રતિમા હતી. શ્રી સંઘે સં. ૧૯૪૦માં જિનાલય બંધાવ્યું હોવાની નોંધ હતી. વહીવટ ઝવેરી કિશોરદાસ મંછાચંદ હસ્તક હતો તથા જિનાલયની સ્થિતિ સારી હતી. કુંવર ગામમાં જૈનોની વસ્તી ઓછી થવાથી જિનાલય અત્રે પધરાવેલ છે. આ શ્રી રાજતિલકસૂરિજીના ઉપદેશથી શ્રી ધર્મવર્ધક ગેલેક્ષી જૈન શ્વે. મૂત્ર સંઘે આ જિનાલય બંધાવેલ છે. એક ગર્ભદ્વાર છે. ૨૧” ઊંચી મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા સપરિવાર ઘુમ્મટયુક્ત આરસની છત્રીમાં બિરાજે છે. છત્રી પર ધજા ચડે છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા પાંચ ધાતુપ્રતિમા છે. મૂળનાયક પ્રતિમા પર કોઈ લેખ નથી. ડાબી બાજુ બિરાજમાન શ્રી ધર્મનાથની પ્રતિમા પર શાકે ૧૭૮૬ તથા જમણી બાજુ બિરાજમાન શ્રી ચંદ્રપ્રભુસ્વામીની પ્રતિમા પર સં. ૧૮૨૧નો લેખ છે. હાલ આ જિનાલયનો વહીવટ શ્રી ધર્મવર્ધક જૈન શ્વે. મૂ. પૂ. ગેલેક્ષી ટાવર સંઘના ટ્રસ્ટીઓ – શ્રી અનિલભાઈ ડાહ્યાભાઈ શાહ, શ્રી રાજુભાઈ પૂનમચંદ શાહ તથા શ્રી સુરેશભાઈ અમૃતલાલ શાહ હસ્તક છે. અરિહંત બંગલો, ઘોડદોડ રોડ ૯૬. સુમતિનાથ (સં. ૨૦૩૪) ઘોડદોડ રોડ પર કાકડીયા કોમ્લેક્ષની સામે આવેલ અરિહંત બંગલામાં અગાશીમાં એક નાની રૂમમાં શ્રી સુમતિનાથનું ઘરદેરાસર આવેલું છે. આ ઘરદેરાસર શ્રી રમેશભાઈ વીરચંદ શાહ પરિવારનું છે. ૩” ઊંચી મૂળનાયક શ્રી સુમતિનાથની સપરિકર ધાતુપ્રતિમા પર નીચે મુજબનો લેખ છે: વીર સંવત ૨૫૦૪ વિક્રમ સંવત ૨૦૩૪ માઘ કુ ૯ શુક્રવારે મહારાષ્ટ્રન્તર્ગત માલેગામ નગરે શ્રી સુમતિનાથ જિનપ્રક્ષાબિંબમિદં માલેગામ વાસ્તવ્ય શ્રેષ્ઠિ શ્રી રતીલાલ વીરચંદ શાહ કારિત પ્રતિષ્ઠિત ચ સિદ્ધાંત મહોદધિ સુવિશાલ ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વર પૂ. પટ્ટપ્રભાવક શિષ્ય આ શ્રી વિજયહીરસૂરિ, આ. શ્રી વિજયભુવનભાનુસૂરિભ્યામિતિ' અન્ય બે ધાતુપ્રતિમા છે. મૂળનાયક સપરિવાર આરસના ઘુમ્મટયુક્ત કમળદળ સંપુટમાં બિરાજમાન છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy