________________
૧૭૨
સુરતનાં જિનાલયો ૭” ઊંચી મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની એક માત્ર ધાતુપ્રતિમા છે. પ્રતિષ્ઠા સં. ૨૦૫૬ માગશર સુદ ૭ના દિને શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.ના ઉપદેશથી થયેલ છે.
કેશવજ્યોત, અઠવાલાઈન્સ
૯૨. મુનિસુવ્રતસ્વામી (ઘરદેરાસર) (સં. ૨૦૧૬) અઠવાલાઇન્સ વિસ્તારમાં કેશવજયોત એપાર્ટમેન્ટમાં ૮મે માળ ૬૦૧ નંના ફલેટમાં શ્રી દીપકભાઈ શાહ પરિવારનું શ્રી મુનિસુવ્રતસ્વામીનું ઘરદેરાસર આવેલું છે.
૯" ઊંચી મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની એક માત્ર ધાતુપ્રતિમા છે. પ્રતિષ્ઠા સંત ૨૦૫૬માં માગશર સુદ ૭ના દિને શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.ના ઉપદેશથી થયેલ છે.
પ્રતિષ્ઠા કોપ્લેક્ષ, ઘોડદોડ રોડ
૯૩. સીમંધરસ્વામી (સં. ૨૦૫૦) અઠવાલાઇન્સ, અંબિકા નિકેતન રોડ પર આવેલ એક્સપરીમેન્ટલ સ્કૂલની બાજુમાં પ્રતિષ્ઠા કોપ્લેક્ષમાં શ્રી સીમંધરસ્વામીનું જિનાલય આવેલું છે.
બાંધણી ઘરદેરાસર જેવી છે. શ્રી મણિલાલ ડાહ્યાભાઈ પરિવાર તથા શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ પરિવારે સાધ્વીજી શ્રી નયપૂર્ણાશ્રીજી તથા સાધ્વીજી શ્રી પૂર્ણપ્રભાશ્રીજીની પ્રેરણાથી સં. ૨૦૫૦ ચૈત્ર વદ ૭ને તા. ૨-૫-૧૯૯૪ના દિને આ જિનાલય બંધાવી આ. શ્રી યશોવર્મસૂરિની નિશ્રામાં પ્રતિષ્ઠા કરાવેલ છે.
૨૧” ઊંચી મૂળનાયક શ્રી સીમંધરસ્વામીની પ્રતિમા સપરિવાર ધજાયુક્ત આરસની છત્રીમાં બિરાજમાન છે. કુલ ચાર આરસપ્રતિમા તથા ચાર ધાતુપ્રતિમા છે.
વહીવટ શ્રી ચીમનલાલ મણિલાલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ – શ્રી જગદીશભાઈ મણિલાલ શાહ, શ્રી સંજયભાઈ બિપીનચંદ્ર શાહ, શ્રી મીતુલભાઈ જગદીશભાઈ શાહ તથા શ્રી સુનીલભાઈ બિપીનચંદ્ર શાહ હસ્તક છે.
રોયલ પેલેસ, ઘોડદોડ રોડ
૯૪. શીતલનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૫૨) ઘોડદોડ રોડ પર અગ્રવાલ સમાજની સામે આવેલ રોયલ પેલેસમાં ૭મે માળ ૭૦૧ નંદના ફલેટમાં શ્રી પપ્પભાઈ (પ્રવીણભાઈ) મહાસુખભાઈ વડેચા પરિવારનું શ્રી શીતલનાથનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org