SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૧૭૧ નીતા શાહ તથા સરગમ પરિવાર .... દિનેશચંદ્ર, ચંદુલાલ, મેનાબેન, લવજીભાઈ, રેખાબેન, કરસનભાઈ, હીરાબેન, મજિભાઈ વડગામ વાસ્તવ્ય શ્રી પ્રેમચંદભાઈ મોહનલાલ ..... આદિ પ્રતિષ્ઠિતમ્ | ભોંયરામાં રંગમંડપ વિશાળ છે. જમણી તથા ડાબી બાજુ ગોખમાં પુંડરીકસ્વામી તથા ગૌતમસ્વામીની કમળ પર બિરાજમાન આરસમૂર્તિ છે. અહીં હવાની અવરજવર માટેની બારીઓની રચના છે. ગભારાને ફરતે પ્રદક્ષિણા થઈ શકે તેવી ભોમતીની રચના છે. ભોમતીમાં પ્રવેશતાં સામે જ ધરણેન્દ્રયક્ષનો ગોખ તથા ડાબી બાજુ પદ્માવતીદેવીનો ગોખ છે. એક ગર્ભદ્વાર છે. મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની ૪૧” ઊંચી પ્રતિમા પર નીચે મુજબનો લેખ છે : શ્રી સિદ્ધિ-વિનયપ્રભ-જનક-વિલાસ-૩ૐકાર સૂરિભ્યો નમઃ | વિસં. ૨૦૫૪ માર્ગ સુદ ૫ ગુરુવારે શુભલગ્ન શ્રી ઉમરા હૈ. મૂ. પૂ. સંઘ (સૂરત) મધ્ય શ્રી કુંથુનાથ ચૈત્યે ઈદ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનબિંબ કારાપિત ............ પિતા રતનચંદ ... માતુશ્રી બિમલાબેન આત્મશ્રેયાર્થે સુપુત્ર રમેશભાઈ પુવ. સાધનાબેન રીદ્ધિ, રાકેશ, સમીર પૌત્ર દીપ્તિ, સમીષા પ્રપૌત્ર ઋચિલ પ્રપૌત્રી નિકીતા જવેરી પરિવાર પ્રતિષ્ઠિત ચ તપાગચ્છીય આ, પૂ. શ્રી ૐકારસૂરીશ્વર પટ્ટધર પૂ આ શ્રી વિ. અરવિંદસૂરિ, આ. શ્રી યશોવિ સૂ. આ. શ્રી મુક્તિચંદ્રસૂરિ પ્ર. શ્રી જયાનંદ વિ. મુ. જિનચંદ્ર વિ. મુ..... જિનાલયમાં રંગમંડપમાં છ આરસપ્રતિમા તથા ગભારામાં મૂળનાયક શ્રી કુંથુનાથ, શ્રી સુમતિનાથ, શ્રી મહાવીર સ્વામી અને શ્રી શાંતિનાથની એક ચૌમુખી પ્રતિમા મળી કુલ સાત આરસપ્રતિમા અને નીચે ભોંયરામાં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની માત્ર એક આરસપ્રતિમા મળીને કુલ આઠ આરસપ્રતિમા અને પંદર ધાતુપ્રતિમા છે. વહીવટ શ્રી ઉમરા જેમૂ. જૈન સંઘના ટ્રસ્ટીઓ – શ્રી બાબુલાલ કાળીદાસ મહેતા, શ્રી ચંપાલાલજી મંછાલાલજી, શ્રી ભરતભાઈ શાહ તથા ડૉ. દિનેશભાઈ શાહ સેવાઓ આપે છે. સં. ૨૦૧૪માં પ્રગટ થયેલ સુરત તીર્થ વંદુ કર જોડમાં આ જિનાલયની ખનન શિલા સ્થાપન પ. પૂ. આ. શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી મ. સા.ની નિશ્રામાં તથા પ્રતિષ્ઠા પ. પૂ. આ. શ્રી યશોવિજયસૂરિજી મ. સા.ની નિશ્રામાં થઈ હોવાની નોંધ છે. કેશવજ્યોત, અઠવાલાઈન્સ ૯૧. પદ્મપ્રભુસ્વામી (ઘરદેરાસર) (સં. ૨૦૫૬) અઠવાલાઇન્સ વિસ્તારમાં કેશવજ્યોત એપાર્ટમેન્ટમાં ૬ઠે માળ ૪૦૩ નંના ફલેટમાં શ્રી ચીનુભાઈ દોશી પરિવારનું શ્રી પદ્મપ્રભુસ્વામીનું ઘરદેરાસર આવેલું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy