________________
૧૭૦
સુરતનાં જિનાલયો શ્રી દીપમંગલ જૈન રીલીજીયસ ટ્રસ્ટે આ જિનાલય બંધાવેલ છે. વહીવટદાર તરીકે શ્રી જયંતિભાઈ મફતલાલ શાહ, શ્રી નવીનભાઈ મફતલાલ શાહ તથા શ્રી સુમતિલાલ મણિલાલ શાહ હસ્તક છે. શ્રી જયંતિભાઈના જણાવ્યા અનુસાર મૂળનાયક પ્રતિમા શત્રુંજય ડેમ પરથી અત્રે પધરાવી હતી તથા અંજનશલાકા નવરંગપુરાના શ્રી મુનિસુવ્રતસ્વામીના જિનાલયમાં આ. શ્રી ચંદ્રોદયસૂરિ મ. સા.ની નિશ્રામાં થઈ હતી.
સિદ્ધચક્ર એપાર્ટમેન્ટ, પાર્લે પોઇન્ટ
૯૦. કુંથુનાથ (સં. ૨૦૫૪) ઉમરા જકાતનાકા, ઈચ્છાનાથ રોડ પર પાર્લે પોઇન્ટ નજીક આવેલા સરગમ શોપિંગ સેન્ટર કોમ્લેક્ષ, સિદ્ધચક્ર એપાર્ટમેન્ટમાં રોડ ઉપર શ્રી કુંથુનાથ ચૌમુખજીનું પીળા આરસનું, ભોયરાયુક્ત શિખરબંધી નૂતન જિનાલય આવેલું છે. મુલાકાત સમયે જિનાલયમાં કામ ચાલુ હતું. ભોંયરામાં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા બિરાજે છે. '
પગથિયાં પાસે બે દ્વારપાલનાં શિલ્પો છે. પાસે જ બન્ને બાજુ નીચે ભોંયરામાં જવા માટેનાં પગથિયાં તથા દ્વાર છે. શ્રી કુંથુનાથના જિનાલયમાં ત્રણ સાદી કાષ્ટકોતરણીવાળા પ્રવેશદ્વાર છે.
રંગમંડપ વિશાળ છે. પ્રવેશદ્વાર પાસે ડાબી બાજુ ગોખમાં શ્રી વાસુપૂજ્ય સ્વામી તથા જમણી બાજુ ગોખમાં ધર્મનાથ છે. અન્ય બે ગોખ પૈકી ડાબી બાજુ ગોખમાં મુનિસુવ્રતસ્વામી તથા જમણી બાજું ગોખમાં આદેશ્વર છે. ગર્ભદ્વાર પાસે સામસામે ગોખમાં જીરાવલા પાર્શ્વનાથ તથા શત્રુંજય પાર્શ્વનાથ છે. રંગમંડપની જમણી બાજુ દેવકુલિકામાં માણિભદ્રવીર તથા ડાબી બાજુ દેવકુલિકામાં મહાલક્ષ્મીમાતા બિરાજમાન છે.
ગભારામાં શ્રી કુંથુનાથ, શ્રી સુમતિનાથ, શ્રી મહાવીરસ્વામી અને શ્રી શાંતિનાથ – ચૌમુખજી પ્રતિમા બિરાજે છે જે પૈકી શ્રી કુંથુનાથની પ્રતિમા ૩૧” ઊંચી છે. આ ચારેય પ્રતિમા પાછળ રંગકામયુક્ત ભામંડલની (પરિકરની) રચના છે. ગભારાને ફરતે પ્રદક્ષિણા થઈ શકે તેવી જગ્યા છે. ચૌમુખજીની ચારેય પ્રતિમા પર સં૨૦૫૪ના માગશર સુદ પને દિને આ શ્રી અરવિંદસૂરિ, શ્રી યશોવિજયસૂરિ તથા શ્રી અભયશેખરસૂરિની નિશ્રામાં પ્રતિષ્ઠા થયાનો લેખ છે. મૂળનાયક શ્રી કુંથુનાથની પ્રતિમા શ્રી ચંદુલાલ કકલચંદ પરીખ પરિવાર દ્વારા પ્રતિષ્ઠિત થયેલ છે. તેના પર નીચે મુજબ લેખ છે :
શ્રી સિદ્ધિવિનયપ્રભ-જનક-વિલાસ-૩ૐકાર સૂરિભ્યો નમઃ | વિ. સં. ૨૦૫૪ માર્ગ, શુ. ૫ ગુરુવાસરે શુભલગ્ન શ્રી ઉમરા થે. મૂ. સંઘ મધ્ય (સૂરત) શ્રી કુંથુનાથ ચૈત્યે ઈદ શ્રી કુંથુનાથ જિનબિબે કારાપિત શ્રી વડાવલી નિવાસી ચંદુલાલ ધ..પ.. કાંતાબેન સુપુત્ર જિતેન્દ્રભાઈ, ધીરુભાઈ, ભૂપેન્દ્ર, જસુભાઈ પૂવ. ભારતી, વર્ષાબેન, અરૂણા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org