SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો છે. કુલ વીસ આરસપ્રતિમા, એકવીસ ધાતુપ્રતિમા તથા આરસની એક ગુરુમૂર્તિ હોવાની નોંધ છે. મૂળનાયક પ્રતિમા પર સં. ૧૬૭૭નો લેખ હોવાની તથા વહીવટ ઘેલાભાઈ રાયચંદ હસ્તક હોવાનો ઉલ્લેખ છે. જિનાલયની સ્થિતિ સારી દર્શાવી હતી. સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તર યાદીમાં આ જિનાલયનો વહીવટ શેઠ ચીમનલાલ સવાઈચંદ હસ્તક હોવાની નોંધ છે. ઉપરાંત ઉપર શ્રી ચંદ્રપ્રભુ વિદ્યમાન હોવાની નોંધ સાથે પ્રતિષ્ઠા સં. ૧૯૪૮ ફાગણ સુદ ૧૦ના રોજ થઈ હોવાનું જણાવ્યું છે. આજે જિનાલયમાં કુલ વીસ આરસપ્રતિમા તથા વીસ ધાતુપ્રતિમા છે. ગૌતમસ્વામીની અલૌકિક મૂર્તિ છે. જિનાલયનો વહીવટ શ્રી ગોળશેરી જૈન સંઘના ટ્રસ્ટીઓ – શ્રી અમૃતલાલ ઠાકોરદાસ શાહ, શ્રી ચંપકલાલ અમરચંદ શાહ, શ્રી પ્રસન્નચંદ્ર ઇન્દ્રજીત શ્રોફ તથા શ્રી રોહિતકુમાર નરેશચંદ્ર શાહ હસ્તક છે. ૧૫૫ ઉપર જણાવ્યા મુજબ આ જિનાલયનો સમય સં ૧૯૪૮નો છે. મૂળનાયક પ્રતિમા પ્રાચીન છે જેના પર સં. ૧૬૭૭નો લેખ હોવાનો ઉલ્લેખ મળે છે. કતારગામ, મેઇન રોડ ૭૩. આદેશ્વર (સં. ૧૯૧૯ પૂર્વે) કતારગામ મેઇન રોડ પર આરસ તથા સાદા પથ્થરનું બનેલું શ્રી આદેશ્વરનું શિખરબંધી જિનાલય આવેલું છે. મોટા દેરાસર તરીકે ઓળખાય છે. જિનાલયના આગળના ભાગમાં ધર્મશાળા તથા સામે શ્રી પુંડરીકસ્વામીનું શિખરબંધી જિનાલય છે. . શૃંગારચોકીમાં કાષ્ટના સ્થંભો પર શિલ્પો છે. રંગકામ થયેલું છે. રંગમંડપમાં સ્થંભો પર કોતરણીયુક્ત કમાનો તથા વિવિધ મુદ્રામાં નર્તકીઓનાં શિલ્પો છે. રાણકપુર, ભદ્રેશ્વર, ચંપાપુરી, નંદીશ્વર, શંખેશ્વર, બાબુ બદ્રીદાસ, સિદ્ધચક્ર, ઋષભદેવનું પારણું, મહાવીરપ્રભુનો ચંડકોશીય નાગનો ઉપસર્ગ, બાહુબલિ, આબુ, સમેતિશખર, સિદ્ધાચલ, ગિરનાર વગેરે પટ-પ્રસંગો છે. પ્રવેશદ્વાર પાસે સામ સામે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાના ગોખ છે. યક્ષ, યક્ષિણી તથા ગણપતિની મૂર્તિના ગોખ છે. ગર્ભદ્વાર પાસે શ્રી શાંતિનાથ તથા શ્રી નાગેશ્વર પાર્શ્વનાથની કાઉસ્સગ્ગ પ્રતિમા છે. ત્રણ ગર્ભદ્વાર છે. ગભારો લાંબો છે. ૧૩” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની પ્રતિમા પર નીચે મુજબનો લેખ છે : સંભૂષણ દોશી અચલગચ્છ શ્રી આદિનાથ બિંબ કારાપિતં’ જમણે ગભારે શ્રી ચંદ્રપ્રભુ તથા ડાબે ગભારે શ્રી આદેશ્વર છે. પ્રતિમા આરસની છત્રીમાં ‘સંવત ૧૮૩૬ માઘ સુદિ ૧૩ શુક્ર શ્રીમાલી જ્ઞાતિય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy