SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ સુરતનાં જિનાલયો બિરાજે છે. કુલ પાંત્રીસ આરસપ્રતિમા, બાર ધાતુપ્રતિમા તથા આરસનાં પગલાંની ત્રણ જોડ છે. અહીં મૂળનાયક નીચે શાસનદેવીની મૂર્તિની બાજુમાં જીર્ણોદ્ધારનો એક પ્રશસ્તિ લેખ છે. જિનાલયની પાછળના ભાગમાં રાયણવૃક્ષ છે. તેની નીચે દેરીમાં આદેશ્વરની કાઉસ્સગ્ગ પ્રતિમા તથા આરસનાં પગલાંની એક જોડ છે. પ્રતિષ્ઠા સં ૨૦૪૦ના પોષ વદ પાંચમ-છઠને દિવસે મુનિશ્રી યતીન્દ્રવિજયજીના હસ્તે થયેલ છે. ડાબી બાજુ માણિભદ્રવીરનું સ્થાનક છે. ધર્મશાળામાં ઉપરના માળે શત્રુંજય તીર્થનો લાંબો, પ્રાચીન પટ છે. કાર્તિકી પૂનમ તથા ચૈત્રી પૂનમે સુરતનો સંઘ અહીં દર્શનાર્થે આવે છે. તે દિવસે ભાથું તથા નવકારશી થાય છે. પુંડરીકસ્વામી આ મોટા જિનાલયની સામે જ કંપાઉંડમાં શ્રી પુંડરીકસ્વામીનું શિખરબંધી જિનાલય આવેલું છે. રંગમંડપ તથા ગભારો નાનો છે. ૧૩” ઊંચી મૂળનાયક શ્રી પુંડરીકસ્વામીની પ્રતિમા પર કોઈ લેખ નથી. કુલ એકવીસ આરસપ્રતિમા તથા આઠ ધાતુપ્રતિમા છે. મૂળનાયક પ્રતિમાની નીચેની દીવાલે ‘સં. ૨૦૨૫ ચૈત્ર વદ ૭ સ્વ. ડૉ. કસ્તુરચંદ ગીરધરલાલ ગાંધી' મુજબનું લખાણ છે. ઐતિહાસિક સંદર્ભ સં ૧૮૪૩માં ઋષભસાગરરચિત પ્રેમચંદસંઘ વર્ણનરાસમાં સંઘ કતારગામે ગયો હોવાની નોંધ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે : કસબે ગામ કતારમેં, બાગ વાડી હે સોહે આરાંમ કે, શેઠની વાડી વિરાજીયા, સંઘ સાથે હે સૂરતનો જામ કે * વા ૨ વોહરાવણ વિધ તિહાં કરી, ભલે ભાવે છે પોષ્યા ગુરુ પાત્ર કે, લખમીનો લાહો લીયો, શ્રીજી રહ્યા એ વાસો તિરાત્ર કે. વા ૩ સં. ૧૯૧૯માં નિત્યવિજયએ સુરત કતારગામમાં રચેલ વીસ વિહરમાન જિનપૂજામાં આદેશ્વરના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયો છે : Jain Education International તત્ત્વ ઇંદુ નિધિ ચંદ્ર સંવછર, સુરત રહિ ચોમાસ, કતારગામ આદિનાથ પ્રસાદે, ઉદ્યમ ભાવ ઉલ્લાસે રે. મેં પ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં કટારગામ વચ્ચે આદેશ્વરના બે જિનાલયો પૈકી આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી જિનાલય તરીકે મળે છે. કુલ ઓગણીસ ધાતુપ્રતિમા હતી તથા જિનાલયની સ્થિતિ સારી હતી. ઉપરાંત તે સમયે કતારગામ વચ્ચે અજિતનાથનું શિખરબંધી જિનાલય પણ વિદ્યમાન હતું. કુલ છેતાળીસ આરસપ્રતિમા, ઓગણીસ ધાતુપ્રતિમા તથા આરસનાં પગલાંની એક જોડ હતી. હાલ અહીં અજિતનાથનું જિનાલય વિદ્યમાન નથી. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy