SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો હિરપુરા, મેઇન રોડ ૬૭. શીતલનાથ (સં. ૧૯૪૮) હરિપુરા મેઇન રોડ પર શ્રી શીતલનાથનું બે માળનું શિખરબંધી જિનાલય છે. ઉપરના માળે શિખરમાં મૂળનાયક શ્રી આદેશ્વર છે. પૂર્વે જિનાલય કાષ્ઠનું હતું. મૂળનાયક નેમનાથ હતા. સં. ૧૯૪૫માં શહેરમાં આગ લાગતા જિનાલય નષ્ટ થયું. ત્યારબાદ શ્રી લાડવા શ્રીમાળી ભાઈઓએ નવીન જિનાલય બંધાવ્યું. પ્રતિષ્ઠા શ્રી રત્નસાગરજી મ. સાની નિશ્રામાં થઈ – તે મુજબનો ઉલ્લેખ સં. ૨૦૫૪માં પ્રગટ થયેલ સુરત તીર્થ વંદુ કર જોડ ગ્રંથમાં છે. ૧૪૭ જિનાલયનો બાહ્ય દેખાવ ધ્યાનાકર્ષક છે. ઉપર અગાશીમાં સામરણયુક્ત ઝરૂખા જેવી રચનામાં સ્થંભો પર કલાત્મક તોરણો તથા પાળી પર ધર્મચક્રની કૃતિ નજરે પડે છે. શૃંગારચોકીના સ્થંભો પર કોતરણીવાળી કમાનો તથા વાજિંત્રો સહિત શિલ્પાકૃતિ છે. ડાબી બાજુ માણિભદ્રવીરનો ગોખ છે જેની પ્રતિષ્ઠા સં ૨૦૩૮ શ્રાવણ સુદ ૬ને સોમવારે કરવામાં આવેલ છે. તથા જમણી બાજુ ચક્રેશ્વરીદેવીનો ગોખ છે. ત્રણ પ્રવેશદ્વાર છે. રંગમંડપ મોટો છે. ફરસ આરસની છે. દરેક સ્થંભો પર વિવિધ મુદ્રામાં વાજિંત્ર સહિત પૂતળીઓનાં નાનાં-મોટાં શિલ્પો છે. મધ્યે ઘુમ્મટમાં રાસ રમતી પરીઓનું ચિત્રાંકન છે. નવપદજી, અષ્ટાપદ, આબુ, સિદ્ધાચલ, ગિરનાર તથા સમેતશિખર વગેરે પટ છે. ડાબી બાજુ પ્રવેશદ્વાર પાસે બ્રહ્મયક્ષનો ગોખ છે. બાજુમાં શ્રી નેમિનાથની ૨૭' ઊંચી આરસપ્રતિમા છે. તેની બાજુમાં અખંડ દીવો છે. એક દેવકુલિકામાં ત્રણ નાના શિખરવાળી છત્રીમાં કુલ ત્રણ આરસપ્રતિમા છે. મધ્યે શ્રી આદેશ્વર છે. પાસે ભોમતી છે. ધજાયુક્ત બાવનદેરીમાં કુલ બાવન આરસપ્રતિમા છે. ભોમતીમાંથી બહાર નીકળતા, આદેશ્વરની દેવકુલિકાની સામે, જમણી બાજુ શ્રી પાર્શ્વનાથની દેવકુલિકા છે જેમાં કુલ ત્રણ આરસપ્રતિમા છે. બાજુમાં શ્રી મહાવીરસ્વામીની આરસપ્રતિમાનો ગોખ છે. અશોકાયક્ષિણી તથા વાઘેશ્વરીદેવીના ગોખ છે. રંગમંડપમાં તથા ભોમતીમાં મળીને કુલ સાઠ આરસપ્રતિમા છે. ત્રણ ગર્ભદ્વાર છે. મધ્યમ કદના ગભારામાં ૧૫” ઊંચી મૂળનાયક શ્રી શીતલનાથની પ્રતિમા પર ‘સંવત ૧૬૬૪ જેઠ સુદ પ વિજયસેનસૂરિભિઃ' – મુજબનું લખાણ છે. અહીં કુલ તેવીસ આરસપ્રતિમા, એકવીસ ધાતુપ્રતિમા તથા ગૌતમસ્વામીની એક આરસમૂર્તિ છે. Jain Education International ........ ઉપર શિખરમાં ૭” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વર સહિત કુલ ત્રણ આરસપ્રતિમા તથા ચૌદ ધાતુપ્રતિમા છે. આરસનાં પગલાંની એક જોડ છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૧૮૨૫ના કારતક વદ ૧૦ શનિવારે શ્રી હરિપુરા મધ્યે શ્રી સંભવનાથ પ્રાસાદે શ્રી For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy