SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ સુરતનાં જિનાલયો હેમરાજના પઠનાર્થે પાર્જચંદ્રસૂરિ ગચ્છના મુનિએ સકલચંદ્રકૃત સતરભેદી પૂજાની પ્રત લખી હોવાની નોંધ સૂર્યપુરનો સુવર્ણયુગ ગ્રંથના પૃ૦ ૯૩ પર થયેલ છે. આજે હરિપુરામાં સંભવનાથનું કોઈ જિનાલય વિદ્યમાન નથી. સં. ૧૮૭૭માં દીપવિજયજી કૃત સુરત કી ગઝલમાં કવિએ સુરતનાં જિનાલયો પછી સુરતનાં કેટલાંક પરાંઓનાં નામ દર્શાવેલાં છે. તેમાં હરિપુરાનો ઉલ્લેખ છે જે નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : ગોપીપુરા ફિર સાહપુર હરિપુરા રૂઘનાથ. મેહેંધર, મેંહેઝર રામપુર, મંછર બેગમ સાથ. ૭૩ , ત્યારબાદ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં હરિપુરા વિસ્તારમાં શીતલનાથના આ જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમ વાર મળે છે. જિનાલય શિખરબંધી હતું. કુલ એક્તાળીસ આરસપ્રતિમા તથા ઈકોતેર ધાતુપ્રતિમાં હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. સં. ૧૯૬૮માં તીર્થગાઈડ(ભાગ-૧)માં હરિપુરા રસ્તા પર પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ છે. શીતલનાથનું આ જિનાલય છાપરીયા શેરીમાં હોવાનો ઉલ્લેખ છે. સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં હરિપુરામાં શીતલનાથના આ જિનાલયનો ઉલ્લેખ છે. સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં આ જિનાલયના વહીવટદાર તરીકે ચંદુલાલ નગીનદાસ તથા નગીનદાસ કીકાભાઈના નામનો ઉલ્લેખ છે. ઉપરાંત સં. ૧૯૪૫માં મોટી આગમાં જિનાલય બળી જવાથી સં. ૧૯૪૮માં બંધાવી પ્રતિષ્ઠા શ્રી રત્નસાગરજી મહારાજે કરાવી હોવાની નોંધ છે. સં. ૧૯૯૬માં સૂર્યપુર રાસમાળામાં આ જિનાલયની પ્રતિષ્ઠા સં૧૯૪૮માં થઈ હોવાની નોંધ છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં હરિપુરા મેઇન રોડ પર આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી જિનાલય તરીકે થયેલો છે. કુલ છ— આરસપ્રતિમા, છત્રીસ ધાતુપ્રતિમા, ત્રણ રજત ચોવીસીપટ તથા રજતની એક ગુરમુર્તિ હોવાની નોંધ છે. મૂળનાયક પ્રતિમા પર સં. ૧૬૬૪નો લેખ હોવાની નોંધ છે. બંધાવનાર તરીકે લાડવા શ્રીમાળી સંઘ તથા બંધાયા સંવત ૧૯૪૮ની નોંધ છે. તે સમયે જિનાલયનો વહીવટ શેઠ ચંદુલાલ નગીનદાસ જરીવાળા હસ્તક હતો સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તાર યાદીમાં આ જિનાલયનો જીર્ણોદ્ધાર સંહ ૧૯૪૮માં થયાની નોંધ છે. તથા જિનાલયના ભોંયરામાં નેમિનાથ અને ઉપરના માળે આદેશ્વરની નોંધ છે. શ્રી નેમિનાથની પ્રતિમા પર ‘સં. ૧૬૮૨ જેઠ વદ ૯ ગુરુવારે અમદાવાદવાળા ઓસવાલ શાંતિદાસે પ્રતિમા કરાવી આ વિમલદેવસૂરિ શિ. વિવેકહર્ષગણિ શિ. મહોપાધ્યાય શ્રી મુક્તિસાગરંગણિની નિશ્રામાં પ્રતિષ્ઠા કરાવી” – મુજબનું લખાણ હોવાની નોંધ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy