SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૧૨૯ ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. સં. ૧૯૬૮માં તીર્થગાઇડ(ભાગ-૧)માં સુરતનાં જિનાલયોની યાદીમાં તથા સં ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં પણ આ જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. સં. ૧૯૮૯માં સુરતની ચૈત્યપરિપાટીમાં તથા સં૧૯૯૬માં સૂર્યપુર રાસમાળામાં આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયા પછી પુનઃ પ્રતિષ્ઠા સં. ૧૯૩૭માં શેઠ ધરમચંદ ઉદયચંદ દ્વારા થઈ હોવાનો ઉલ્લેખ છે. વહીવટ શેઠ ફૂલચંદ સીવચંદ તથા શેઠ ચીમનલાલ રતનચંદ હસ્તક હતો. જિનાલય અંગે અન્ય નોંધ કરવામાં આવી છે જે નીચે મુજબ છે : ‘ભોંયરામાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથની પ્રતિમા દેરાસર બંધાયું હશે ત્યારની છે. સં. ૧૯૭૦માં તેની ઉપર લેપ કરવામાં આવ્યો છે. જિનાલયમાં નાની નાની પૂતળીઓ વાજા સાથે છે તે વાગતી. એક વખત કોઈકે ખાતરી કરવા દેરાસર ઉઘડાવ્યું ત્યારથી તે બંધ છે. ઘણું પ્રાચીન છે. પ્રાચીન ગ્રંથભંડાર છે.” સં. ૧૯૯૬માં પ્રકટ થયેલ સૂર્યપુરનો સુવર્ણયુગમાં સીમંધરસ્વામીના આ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૯૪૯માં થઈ હોવાની નોંધ છે. તે સમયે પુનઃ પ્રતિષ્ઠા થઈ હોવાનો સંભવ છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં નાણાવટ તાળાવાળાની પોળમાં સીમંધરસ્વામીના આ જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. કુલ ત્રીસ આરસપ્રતિમા, સત્તાવન ધાતુપ્રતિમા, એક સ્ફટિકપ્રતિમા, એક પ્રાચીન ધાતુમૂર્તિ તથા ચોવીસીના ત્રણ રજતપટ હોવાની નોંધ છે. વહીવટ બાલુભાઈ ઉત્તમચંદ હસ્તક હતો અને જિનાલયની સ્થિતિ સારી હતી. મૂળનાયક પર સં. ૧૮૧૫નો લેખ હોવાનો તથા જિનાલય સં. ૧૮૦૦ લગભગમાં બંધાયાનો ઉલ્લેખ છે. સં. ૨૦૨૩માં પણ જીર્ણોદ્ધાર અંગે ઉપર્યુક્ત વિગત મળે છે. તથા પ્રતિષ્ઠા સં૧૮૧૫ વૈશાખ સુદ ૬ને બુધે શ્રી વિજયદેવસૂરિ ગચ્છના વિજયધર્મસૂરિ હસ્તે થયાની નોંધ છે. તે સમયે વહીવટ વડાચૌટા ભાજીવાળી પોળમાં રહેતા શ્રી નવલચંદ છગનલાલ હસ્તક હતો. સં. ૨૦૫૪માં સુરત તીર્થ વંદુ કર જોડમાં આ જિનાલય શ્રી જીવણશા જેઠાલા રાધનપુરવાળાએ બંધાવ્યું હોવાની તથા શ્રી જગવલ્લભ પાર્શ્વનાથની પ્રતિમા પર સં. ૧૯૭૫માં લેપ થયો હોવાની નોંધ છે. જિનાલયમાં કુલ છવ્વીસ આરસપ્રતિમા પૈકી બે કાઉસ્સગ્ગિયા તથા ચોસઠ ધાતુપ્રતિમા છે. જિનાલયનો વહીવટ શ્રી વડાચૌટા જૈન સંઘના ટ્રસ્ટીઓ – શ્રી ચંદ્રકાન્તભાઈ મોહનલાલ કાપડિયા, શ્રી જ્યોતિન્દ્રભાઈ ધનસુખલાલ શાહ તથા શ્રી મયંકકુમાર પ્રવીણચંદ્ર શાહ હસ્તક છે. - સં. ૨૦૧૦માં જિનાલય બંધાયા સંવત ૧૮૦૦ લગભગ દર્શાવલે છે. મૂળનાયક શ્રી સીમંધરસ્વામીની પ્રતિમા પર સં. ૧૮૧૫નો લેખ છે. અમારી માન્યતા પ્રમાણે જિનાલયનો સમય સં. ૧૮૧૫ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy