SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ સુરતનાં જિનાલયો તાળાવાળાની પોળ, નાણાવટ ૫૬. અજિતનાથ (સં. ૧૮૩૬) નાણાવટ, તાળાવાળાની પોળમાં મધ્ય શ્રી અજિતનાથનું ઘર જેવી બાંધણીવાળું ધાબાબંધી જિનાલય આવેલું છે. રંગમંડપ વિશાળ છે. ફરસ આરસની છે. કાષ્ઠની છત તથા સ્થંભો પર જીર્ણ થયેલું રંગકામ છે. મધ્ય છતમાં નાના અરીસા ગોઠવેલા છે. શત્રુંજયનો ચિત્રકામયુક્ત પટ છે. ડાબી બાજુ ત્રણ ગોખ પૈકી ગર્ભદ્વાર પાસેના એક ગોખમાં સરસ્વતીદેવીની ઊભી આરસમૂર્તિ છે જેના પર સં. ૧૨૨૩નો લેખ છે. બીજા ગોખમાં ચક્રેશ્વરીદેવીની આરસમૂર્તિ છે. તેના પર સં. ૧૮૪૩નો લેખ છે. અન્ય એક ગોખમાં નેમિનાથની આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા છે અને જિનદત્તસૂરિના આરસનાં પગલાંની એક જોડ છે જેના પર સં. ૧૭૬૬નો લેખ છે. જમણી બાજુ બે ગોખ પૈકી એક ગોખમાં ત્રણ આરસપ્રતિમા તથા પાંચ ધાતુપ્રતિમા છે. અને કલાત્મક કોતરણીવાળા અન્ય ગોખમાં કુલ આઠ ધાતુપ્રતિમા છે. ત્રણ ગર્ભદ્વાર છે. ૨૭” ઊંચી મૂળનાયક શ્રી અજિતનાથની પ્રતિમા પર “સં. ૧૮૩૬ માઘ સુદી ૧૩ ગુરુવાર ........ અજિતનાથ બિંબ કારાપિત ..... શ્રી વિજયાનંદસૂરિ ... – મુજબનું લખાણ છે. ડાબે ગભારે શ્રી પદ્મપ્રભુ તથા જમણે ગભારે શ્રી વાસુપૂજયસ્વામીની આરસપ્રતિમા છે. અહીં કુલ સાડત્રીસ આરસપ્રતિમા પૈકી એક કાઉસ્સગ્ન પ્રતિમા છે. ઇઠ્યોતેર ધાતુપ્રતિમા પૈકી ત્રણ ચૌમુખી અને બે રજતપ્રતિમા છે. આરસનાં, પગલાંની એક જોડ, ચોવીસીનો એક પટ, ધાતુની ત્રણ દેવમૂર્તિ તથા ગૌતમસ્વામીની એક આરસમૂર્તિ અને એક ધાતુમૂર્તિ છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. કુલ બાસઠ આરસપ્રતિમા, એકસો તેવીસ ધાતુપ્રતિમા તથા પગલાંની એક જોડનો ઉલ્લેખ થયેલો છે. જિનાલયની સ્થિતિ સારી હતી. સં. ૧૯૬૮માં તીર્થગાઇડ(ભાગ-૧)માં તથા સં. ૧૯૮૪માં સુરતની જેન ડિરેક્ટરીમાં આ જિનાલયની નોંધ મળે છે. સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં આ જિનાલયનો વહીવટ મગનલાલ તુલસીદાસ હસ્તક હોવાની તથા રંગમંડપ મોટો હોવાની નોંધ છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. બંધાયા સંવત ૧૮૨૫ લગભગ અને મૂળનાયક પ્રતિમા પર સં. ૧૮૩૬નો લેખ હોવાની નોંધ છે. કુલ અડતાળીસ આરસપ્રતિમાં, એકસો પાંત્રીસ ધાતુપ્રતિમા, ધાતુની બે ગુરુમૂર્તિ, આરસની એક ગુરુમૂર્તિ તથા સં. ૧૨૨૩ની સાલની સરસ્વતીદેવીની આરસમૂર્તિ હોવાનો ઉલ્લેખ છે. વહીવટ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy