SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ સુરતનાં જિનાલયો લખાણ તથા અન્ય એક પગલાં પર “વિ. સં. ૧૯૨૩ શાકે ૧૭૮૯ માઘ સુદ ૫ રવિવારે ખરતરગચ્છ ક્ષેમ ....... પાદુકા લાલચંદજી દીપચંદજી .............. મુજબનું લખાણ છે. ફૂલવેલની સાદી કોતરણીવાળા બે પ્રવેશદ્વાર છે. ફરસ આરસની છે. છત પર કાષ્ઠ કોતરણી છે. સ્થંભો પર કાષ્ઠના નારીશિલ્પો છે. ઘુમ્મટમાં સાદી કાષ્ઠ કોતરણી છે. શત્રુંજયનો ચિત્રિત પટ છે. ગૌતમસ્વામીની આરસમૂર્તિનો ગોખ છે. અન્ય એક ગોખમાં પંચમુખી પંચાગુલીમાતાની આરસમૂર્તિ છે. તેની પ્રતિષ્ઠા સં૧૮૪૩ના વૈશાખ સુદ ૬ને સોમવારે આ. શ્રી વિજયલક્ષ્મી સૂરિની નિશ્રામાં થયેલ છે. આ ગોખ પાસે જ નીચે ભોંયરામાં ઊતરવા માટેના અને તેની બાજુમાં ઉપરના માળે જવા માટેનાં પગથિયાં છે. અન્ય એક ગોખમાં છ ધાતુપ્રતિમા છે. ત્રણ ગર્ભદ્વાર છે. તેની ઉપર મોટા અરીસા છે. ૨૩” ઊંચી મૂળનાયક સીમંધરસ્વામીની પ્રતિમા પર – “સં. ૧૮૧૫ વર્ષે વૈશાખ સુદી ૬ સૂર્યપુરના સુશ્રુત શ્રી ...... વિજયધર્મસૂરિભિ' – મુજબનું લખાણ છે. ડાબા ગભારે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ તથા જમણા ગભારે શ્રી દાદા પાર્શ્વનાથ છે. શ્રી દાદા પાર્શ્વનાથની આ પ્રતિમામાં લાંછન વિશિષ્ટ છે. પ્રતિમાની ફરતે નાગની પૂંછડી દેખાય છે જે લાંછનમાં ફણા સ્વરૂપે આવિર્ભાવ પામે છે. કુલ પંદર આરસપ્રતિમા અને અઠાવન ધાતુપ્રતિમા છે. ભોયરું અગાઉ ભોયરું નાનું હતું. લગભગ દસ વર્ષ પૂર્વે ભોયરું મોટું બનાવવા માટે ખોદકામ કરતાં જમીનમાંથી ખંડિત પ્રતિમાઓ નીકળેલ જે કોબા મ્યુઝિયમમાં જમા કરાવવામાં આવી હતી. હાલ ભોંયરું વિશાળ છે. રંગમંડપમાં દીવાલે શત્રુંજય, અષ્ટાપદ અને સમેતશિખરના ચિત્રિત પટ છે. છતમાં હાંડી ઝુમ્મર છે. ત્રણ ગર્ભદ્વાર છે. મૂળનાયક શ્રી જગવલ્લભ પાર્શ્વનાથની ૫૧” ઊંચી નયનરમ્ય શ્યામ આરસપ્રતિમા પર લેખ નથી. તેની આજુબાજુ બે કાઉસ્સગ્ગિયા છે. સ્થાનિક માહિતી પ્રમાણે અગાઉ આ પ્રતિમા પંચતીર્થી હશે. તેમાંની બે પદ્માસન પ્રતિમા ઉપરના માળે ચૌમુખીમાં બિરાજમાન છે તથા બે કાઉસ્સગ્નિયા મૂળનાયકની આજુબાજુ છે. અહીં બે કાઉસ્સગ્ગિયા સહિત કુલ દસ આરસપ્રતિમા છે. પહેલે માળ અહીં એક બાજુ અગાશી છે. એક રૂમમાં મધ્યે આરસના સિંહાસન પર ૧૧” ઊંચી શ્રી પાર્શ્વનાથ, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, શ્રી ગોડી પાર્શ્વનાથ અને શ્રી શામળા પાર્શ્વનાથની – ચૌમુખી પ્રતિમા બિરાજમાન છે. પ્રતિમાલેખ સુવાચ્ય નથી. ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં તાળાવાળાની પોળમાં આવેલા આ જિનાલયને ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવ્યું છે. તે સમયે કુલ અઠ્ઠાવીસ આરસપ્રતિમા તથા ચાળીસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy