________________
સુરતનાં જિનાલયો
૧૨૭ સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તાર યાદીમાં શાહપોર મીરજાસામીનો ચકલો વિસ્તારમાં દર્શાવેલા આ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૭૫૫માં ચૈત્ર સુદ ૧૫ ગુરુવારે ઔરંગઝેબ બાદશાહના સમયે શ્રી વૃદ્ધિસાગરસૂરિ હસ્તે થયાની નોંધ છે. સં. ૧૯૫૮ આસપાસ શેઠ હીરાચંદ મોતીચંદ દ્વારા જીર્ણોદ્ધાર થયો હોવાની તથા વહીવટ શેઠ બાબુભાઈ અમરચંદ હસ્તક હોવાની નોંધ છે.
સં. ૨૦૨૫માં સુરતમાં પ્રાયઃ ૩૦૦ વર્ષ બાદ અંજનશલાકા મહોત્સવ પ. પૂ. આ. શ્રી વિજયકસ્તુરસૂરિ મ. સા.ની નિશ્રામાં ઉપા. શ્રી ચંદ્રોદયવિજયજી ગણિ (હાલ આચાર્ય) મસા.ની પ્રેરણાથી શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ, સપરિકર શ્રી સીમંધરસ્વામીની પ્રતિષ્ઠા, પૂ. શ્રી અશોકચંદ્રવિજયજી (હાલ આચાર્યજી મ. સાના શિષ્ય મુનિ શ્રી સોમચંદ્રવિજય (હાલ આચાર્ય) મ. સા. આદિ ચાર મુમુક્ષુઓની દીક્ષાદિ પ્રસંગો સાથે ઊજવાયો.
જિનાલયમાં કુલ સત્તર આરસપ્રતિમા તથા ઇઠ્યોતેર ધાતુપ્રતિમા છે. વહીવટ શ્રી વડાચૌટા જૈન સંઘના ટ્રસ્ટીઓ – શ્રી બાબુભાઈ અમરચંદ શાહ, શ્રી અનિલભાઈ શ્રોફ, શ્રી મહેશભાઈ એમ મારફતિયા, શ્રી ભૂપેન્દ્રભાઈ એફ. લાકડાવાળા તથા શ્રી ભરતભાઈ સી. સરૈયા હસ્તક છે. દર બેસતે મહિને શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. પર્વના દિવસોમાં મેળો ભરાય છે. ચૈત્રી-કાર્તિકી પૂનમે સાકરના પાણી અપાય છે. શ્રી પાર્શ્વનાથના જન્મકલ્યાણકની ઉજવણી કાયમી શાંતિસ્નાત્ર સહિત ઊજવાય છે.
આ જિનાલય સુરતની જૈન પરંપરાના ગૌરવનું શિખર છે. સૌ પ્રથમ પ્રમાણભૂત ઉલ્લેખ સં. ૧૯૮૯માં તો મળે જ છે. પરંતુ આ જિનાલય સોળમા સૈકા અગાઉનું હોવાનો વધુ સંભવ છે. આ અંગે ખાસ સંશોધન થાય તે ખૂબ જ જરૂરનું છે.
તાળાવાળાની પોળ, વડાચૌટા.
૫૫. સીમંધરસ્વામી (સં. ૧૮૧૫) વડાચૌટામાં આવેલી તાળાવાળાની પોળમાં શ્રી સીમંધરસ્વામીનું ઘર જેવી બાંધણીનું ત્રણ માળનું ધાબાબંધી જિનાલય આવેલું છે. ભોયરામાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ તથા ઉપરના માળે શ્રી પાર્શ્વનાથ ચૌમુખી પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. બાજુમાં પૌષધશાળા છે.
જીર્ણોદ્ધાર સં. ૧૯૪૮માં શ્રી મોહનલાલજી મહારાજની નિશ્રામાં શ્રી ધરમચંદ ઉમચંદ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે.
મુખ્ય પ્રવેશદ્વારેથી ખડકીમાં પ્રવેશતાં ડાબી બાજુ જિનાલય આવે. અહીં કુલ ચાર ગોખ છે. તે પૈકી એક ગોખમાં માણિભદ્રવીર, બીજા ગોખમાં શ્રીફળ, ત્રીજા સ્મોખમાં મહાલક્ષ્મીમાતા તથા અન્ય ગોખમાં આરસનાં પગલાંની ચાર જોડ અને એક ખલ છે. પગલાં પૈકી એક પર “સં. ૧૮૨૧ શાકે ૧૭૪૯ ...... લાલચંદ દીપચંદજી ..... વિમળજી શિષ્ય સંધે.....” મુજબનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org