________________
૧૨૬
સુરતનાં જિનાલયો
ચિંતામણી શ્રીપાસ વંદું આણંદુ સાહેલડી. પ્રભુવદન ચંદ અમંદ તેજઈ ફલી મુઝ સુખવેલડી; અતિ ફૂટડું પ્રભુ ફણામંડલ દેખિ મુઝ મન ઉલ્હસઇ.
ઘન ઘટાડંબર દેખિ દહદિસિ મોર જિમ હાઇડઈ હસઇં. ૧૧ સં૧૭૫૫માં જ્ઞાનવિમલસૂરિકૃત તીર્થમાળામાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયો છે :
ધુર થકી શહેરમાં વંદિયા, પાસ ચિંતામણી વારૂ
ધર્મ જિનેસર નમિ જિન, કુંથ જિનેસર તારૂ સં. ૧૭૪૬માં શીલવિજયકૃત તીર્થમાળામાં ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે
નવસારી સૂરતિ મંડાણ ચિંતામણિ સોહે જિનભાણ,
ઉંબરવાડી જીરાઉલો, આદિનાથ ગાઉ ગુણનિલો. ૧૧૧ સં. ૧૭૯૩માં લાધાશાહકૃત સુરત ચૈત્યપરિપાટીમાં આ જિનાલયનો ઉલ્લેખ થયો નથી.
સં૧૮૭૭માં દીપવિજયકૃત સુરત કી ગઝલમાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
ચિંતામનિ પારસનાથ, મેલેં સિવપુરાં કો સાથ,
દેવલ બડે બેહેંતાલીસ, વંદે સુરનરાં કા ઇસ. ૬૬ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં શાહપોરમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયો છે. કુલ પંદર આરસપ્રતિમા તથા પંચોતેર ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સાધારણ હતી.
સં. ૧૯૬૮માં તીર્થગાઈડ(ભાગ-૧)માં સૈયદપુરા વિસ્તારમાં ચિંતામણિ પાર્શ્વનાથના મોટા જિનાલયનો ઉલ્લેખ થયો છે જે આજે શાહપોરમાં ગણાય છે અને આજે સૈયદપુરાના ચંદ્રપ્રભુસ્વામીના આ જિનાલયનો ઉલ્લેખ સં. ૧૯૬૮માં શ્રાવકપોળ વિસ્તારમાં થયો છે.
સં. ૧૯૮૪માં સુરતની જેને ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ થયો છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં શાહપુર મીરઝાસ્વામીનો ચકલો – એ વિસ્તારમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયો છે. કુલ ચૌદ આરસપ્રતિમા, અગણ્યોસિત્તેર ધાતુપ્રતિમા તથા બે રજત ચોવીસ જિનપટ હતા. જિનાલય બંધાયા સંવત ૧૬૦૦ લગભગ દર્શાવ્યો હતો. વહીવટ બાબુભાઈ અમરચંદ હસ્તક હતો. જિનાલયની સ્થિતિ સારી હતી. ઉપરાંત લાકડાનું નકશીકામ તથા કોતરકામ સુંદર હોવાનો ઉલ્લેખ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org