________________
૧૨૦
સુરતનાં જિનાલયો
સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ છે :
‘આ દેરાસરમાં નંદીશ્વરદ્વીપની રચના છે. અઢીસો વર્ષ પૂર્વે ૧૬૬૦માં કોઈ સકળચંદ નામના શ્રાવકે આ દેરાસર બંધાવ્યું છે એમ કહેવાય છે. છેલ્લા જીર્ણોદ્વાર પછીની પ્રતિષ્ઠા સંવત ૧૯૬૦ વૈશાખ સુદ ૧૦. પ્રભુજીને ગાદીનશીન કરનાર શેઠ ધરમચંદ ઉદયચંદના પુત્રો. દેરાસરજીના ભોંયરામાં શ્રી અરનાથ ભગવાન છે.... નંદીશ્વરદ્વીપની રચના હોઈ આ દેરાસરજી નંદીશ્વરદ્વીપના દેરાસરના નામે પણ ઓળખાય છે. નંદીશ્વરદ્વીપની રચના સંવત્સરીના દીવસે કરવામાં આવે છે, જે ઘણી મનોહર હોય છે. લાકડાનું સુંદર કોતરકામ બહુ મૂલ્યવાન અને નમુનેદાર છે. તેનું પેઇન્ટીંગ કામ પણ બહુ સુંદર છે. એકંદર રચના ભવ્ય છે, ઉપરાંત લાકડાના પાટીઆ ઉપર બીજા સુંદર ચિત્રકામના નમૂના છે તે જોવાલાયક છે; તેની જાળવણી અને વ્યવસ્થા ઉચ્ચ પ્રકારની છે. દેરાસરજીમાં જે જુનો ઘંટ છે તે પર ‘સંવત ૧૯૬૦ વર્ષે કારાવિર્તવાદીરહ વેલમદરે દેહરે ધર્મનાથ નીહ વોહોરા બંગાલાલજી ઘંટ ભરાઊસે શ્રીવૈયહસેનસૂરિભિ' – એ મુજબનો લેખ છે.’
સં. ૧૯૯૬માં સૂર્યપુર રાસમાળામાં આ જિનાલયની પુનઃ પ્રતિષ્ઠા સં. ૧૯૬૦માં થઈ હોવાની નોંધ છે.
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં સૈયદપુરા શ્રાવકશેરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયો છે. તે સમયે સોળ આરસપ્રતિમા તથા એકસો એક ધાતુપ્રતિમા હતી. વહીવટ નાનુભાઈ નેમચંદ હસ્તક હતો. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તર યાદીમાં સૈયદપરા શ્રાવકશેરી વિસ્તારમાં આ જિનાલયનો ઉલ્લેખ થયો છે. ભોંયરામાં બિરાજમાન શ્રી અરનાથનો પ્રતિમા પર સં. ૧૮૨૨નો લેખ હોવાની નોંધ છે. વહીવટ શેઠ ઠાકોરભાઈ સૂરચંદ હસ્તક હતો.
આજે જિનાલયમાં કુલ તેર આરસપ્રતિમા, ઇઠ્યોતેર ધાતુપ્રતિમા, ચોવીસ ધાતુ ચૌમુખી તથા એક નાની ચૌમુખી ધાતુપ્રતિમા છે. વહીવટ શ્રી વડ઼ાચૌટા જૈન શ્વે. મૂ૰ સંઘના ટ્રસ્ટીઓ– શ્રી બાબુભાઈ અમરચંદ શાહ, શ્રી અનિલભાઈ શ્રોફ, શ્રી મહેશભાઈ એમ મારફતિયા, શ્રી ભૂપેન્દ્રભાઈ એફ. લાકડાવાળા તથા શ્રી ભરતભાઈ સી. સરૈયા હસ્તક છે. સંઘ દ્વારા પં શ્રી ચંદ્રોદયવિજયજી ગણિ(હાલ આચાર્ય)ની પ્રેરણાથી સં ૨૦૧૭માં તથા સં ૨૦૫૫માં પ્રાચીન કાષ્ઠમય અદ્ભુત ઝલક સુરતના સૈયદપુરાનું શ્રી ચંદ્રપ્રભુજી ભગવાન જૈન દહેરાસર નંદીશ્વરદ્વીપ અને તેના ફલકો પરનાં ચિત્રોની સંક્ષિપ્ત રૂપરેખાવાળી નાની નાની બે આવૃત્તિ ધરાવતી પુસ્તિકા પ્રગટ થયેલ છે.
સં. ૧૬૬૦માં આ જિનાલય બંધાયું હોવાની નોંધ સં. ૧૯૮૯માં કરવામાં આવેલ છે. પરંતુ સં ૧૬૮૯માં ઉપા૰ વિનયવિજયકૃત સુરત ચૈત્યપરિપાટીમાં ચંદ્રપ્રભુના જિનાલયનો ઉલ્લેખ થયો નથી. ત્યારબાદ સં. ૧૭૭૪માં શાંતિનાથ, વિમલનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે. સંભવ છે કે હાલ નવાપુરામાં વિદ્યમાન શાંતિનાથના જિનાલયનો આ ઉલ્લેખ હોય. સં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org