________________
સુરતનાં જિનાલયો
૧૨૧
૧૭૯૩માં નંદીશ્વરદ્વીપનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. અમારી માન્યતા પ્રમાણે આ જિનાલય સં ૧૭૯૩ પૂર્વેના સમયનું છે જ, તેથી વધુ પ્રાચીન હોવાનો સંભવ છે.
નવાપુરા
પ૩. શાંતિનાથ (સં. ૧૭૯૩ પૂર્વે) નવાપુરા વિસ્તારમાં મોરકસ મહોલ્લામાં આરસનું બનેલું શ્રી શાંતિનાથનું ત્રણ માળનું, સામરણયુક્ત જિનાલય આવેલું છે. ઉપરના માળે શ્રી શાંતિનાથ તથા ભોંયરામાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથ મૂળનાયક તરીકે બિરાજે છે.
પ્રવેશતાં એક બાજુ ઉપાશ્રય છે. માણિભદ્રવીરની દેરી છે.
ત્રણ પ્રવેશદ્વાર છે. પ્રવેશદ્વારની દીવાલો પર નવગ્રહ, મંગલ કલશ, લક્ષ્મીદેવીનું રંગકામ સુંદર છે. મોટા કદના રંગમંડપમાં સ્થંભો પર સુંદર રંગકામ તથા ચિત્રકામ છે. દીવાલો ચંપાપુરી, પાવાપુરી, અષ્ટાપદ, સમેતશિખર, ગિરનાર, શત્રુંજય, આબુ, નંદીશ્વરદ્વીપ, મહાવીરસ્વામી સમવસરણમાં, મહાવીરસ્વાંમીને ખીલાનો ઉપસર્ગ, શાંતિનાથ જન્મકલ્યાણક, દીક્ષા કલ્યાણક, ચ્યવનકલ્યાણક જેવા પટ પ્રસંગોથી ખચિત છે. રંગમંડપમાં બે ગોખમાં ત્રણ ત્રણ આરસપ્રતિમા મળીને કુલ છ આરસપ્રતિમા છે.
ગભારો લાંબો છે. ૧૧” ઊંચી મૂળનાયક શ્રી શાંતિનાથની આરસપ્રતિમા સહિત કુલ વીસ આરસપ્રતિમા તથા ઓગણચાળીસ ધાતુપ્રતિમા છે. ઉપરાંત એક સ્ફટિકપ્રતિમા છે. એક પેટીમાં આગમરત્નમંજૂષાની મોટી પ્રત છે.
ભોંયરું નાનું છે. અહીં ” ઊંચી શ્રી શાંતિનાથની આરસપ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. મૂર્તિલેખ નથી. કુલ ત્રણ આરસપ્રતિમા છે.
ઉપરના માળે શંખેશ્વર, ભદ્રેશ્વર, રાણકપુર, મેરુશિખર પર પ્રભુનો અભિષેક, પાર્શ્વકુમાર કમઠનો પ્રસંગ, વરસીદાન, દીક્ષા વરઘોડો, દીક્ષા કલ્યાણક, પંચમુઠી લોચ, કમઠ ઉપસર્ગ તથા સમવસરણ જેવા પટ-પ્રસંગો છે. ત્રણ ગર્ભદ્વાર છે. ગભારો મોટો છે. ૧૧” ઊંચી શ્રી ભીડભંજન પાર્શ્વનાથની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. કુલ ચોવીસ આરસપ્રતિમા તથા અઠ્ઠાવીસ ધાતુપ્રતિમા છે. જમણે ચંદ્રપ્રભુ તથા ડાબે આદેશ્વર છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૭૯૩માં લાધાશાહકૃત સુરત ચેત્યપરિપાટીમાં નવાપુરામાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયો છે. તે સમયે ભોંયરું હોવાની નોંધ છે. નવાપુરામાંહે દેહરે ભ૦ સોલસમાં શાંતિનાથ;
ભ. ભૂયરામાંહે પ્રભૂ ભેટીયા ભ મૂલનાયક જગનાથ. - ભ. ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org