________________
૧૧૮
સુરતનાં જિનાલયો ચિત્રકામ છે. એક ગોખમાં દેવની મૂર્તિ છે. અહીં ઊંચું, ભવ્ય કાષ્ઠનું સમવસરણ છે. છત તથા ઘુમ્મટમાં ચિત્રકામ છે. સંવત્સરીના દિવસે એટલે કે ભાદરવા સુદ ચોથે અહીં મેરુ પર્વત સાથે કાષ્ઠકામયુક્ત જંબુદ્વીપને ફરતે નંદીશ્વરદ્વીપની મનોહર અને ભવ્ય રચના કરવામાં આવે છે જે પંદરેક દિવસ સુધી રાખવામાં આવે છે. અનેક જૈનો તેના દર્શનાર્થે આવે છે. કાષ્ઠની આ રચના નમુનેદાર અને અલૌકિક છે. તેના પરનું રંગકામ આકર્ષક છે.
જિનાલયના પાછળના ભાગમાં મોટા રૂમમાં પંદર ગોખ છે જે કાચના દ્વારથી બંધ કરેલ છે. તેમાં કાષ્ઠના ચિત્રિત ફલક છે જેમાં જૈન આચાર વિચારનો બોધ કરાવનારી ઘટનાઓનું – (૧) ૧૭૦ તીર્થકર, (૨) તીર્થંકર પ્રાપ્તિ સ્થાનકો ૧ થી ૧૦, (૩) તીર્થંકર પ્રાપ્તિના સ્થાનકો ૧૧ થી ૨૦, (૪) સનતકુમારનું સૌંદર્ય અને વિરકતતા, (૫) સગરચક્રીના ૬૦ હજાર પુત્રો, (૬) દ્વૈપાયનનો દાહ, (૭) પૃથ્વીચંદ્ર અને ગુણસાગર, (૮) મહાવીરસ્વામીના ૨૭ ભવો, (૯) વીરની બાલ્યાવસ્થા, (૧૦) કેવલજ્ઞાન, (૧૧) ઉપસર્ગો, (૧૨) શ્રેણિકનૃપતિ, (૧૩) ચંપા શ્રાવિકા અને અકબર બાદશાહ, (૧૪) ૨૪ તીર્થકરના પ્રથમ પારણા – વગેરેનું ચિત્રકામ છે.
ગભારમાં ૧૫” ઊંચી મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુસ્વામીની પ્રતિમા છે. પ્રતિમાલેખ નથી. કુલ દસ આરસપ્રતિમા, અઠ્યોતેર ધાતુપ્રતિમા, ચોવીસ ધાતુ ચૌમુખી અને એક નાના ધાતુ ચૌમુખી છે. ધાતુપ્રતિમા પૈકી એક તીર્થકરના ખોળામાં અન્ય નાના તીર્થકર બેઠા હોય તે પ્રકારની વિશિષ્ટ નાનકડી પ્રતિમા છે. તેમાંની મોટી પ્રતિમા આદેશ્વરની અને નાની પ્રતિમા મહાવીરસ્વામીની છે. આજુબાજુના ગભારે શાંતિનાથ તથા પાર્શ્વનાથ છે. આરસનું સિદ્ધચક્ર, ધાતુની સોળ કમળ પાંદડી છે. ધાતુના એક પટ પર સં. ૧૮૩૩નો લેખ છે એમાં વચ્ચે વીસ તીર્થંકર, તેની બંને બાજુ એકેક સિદ્ધચક્ર, ડાબી બાજુ સિદ્ધચક્રની ઉપર ૪ તીર્થકર, છેક ઉપરના ભાગમાં તીર્થંકર અને તેની નીચે ઋષિ અને તેની ઉપર સૂર્યની કૃતિ છે.
ભોંયરામાં ૨૧” ઊંચી મૂળનાયક શ્રી અરનાથની પ્રતિમા પર સં૧૮૨૨નો લેખ છે જે નીચે મુજબ છે :
સંવત ૧૮૨૨ વૈશાખ સુદિ ૧૩ ગુરૌ ઓસવાલ જ્ઞાતિય વૃદ્ધશાખાયાં શા ........ સુત શા મોતીચંદકેન ૧૮ શ્રી અરનાથ બિંબ કારાપિત પ્રતિષ્ઠાપિત ચ શ્રી સાગરગચ્છ શ્રી પૂન્યસાગર સૂરિભિઃ શ્રેયસ્તુ શુભ'
કુલ ત્રણ આરસપ્રતિમા છે. એક આરસમાં બે પગલાંની જોડ પર લેખ છે :
સંવત ૧૮૩૩ વર્ષે મહા સુદિ ૫ બુધે શ્રી વિનયવિજયગણિના પાદુકા પ્રતિક્તિા શ્રી સુરતિ બિંદરે પુનઃ નવીકૃતા મહોપાધ્યાય શ્રી સુમતિવિજયગણિનાં પાદુકા પ્રતપંઉત્તમવિજય”
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૭૭૪માં જ્ઞાનવિમલસૂરિકૃત અશોકચંદ્ર રોહિણીરાસમાં આ વિસ્તારનો ઉલ્લેખ સુરત પાસે સૈદપૂર બંદર તરીકે થયો છે. જ્યાં વિમલનાથ તથા શાંતિનાથના ઉલ્લેખ મળે છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org