________________
સુરતનાં જિનાલયો
૧૧૭
નોંધ હતી. વહીવટ શેઠ જીવણલાલ કપુરાજી હસ્તક હતો. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તર યાદીમાં પણ આ જિનાલય વિશે ઉપર્યુક્ત નોંધ મળે છે.
આજે જિનાલયમાં કુલ બાવીસ આરસપ્રતિમા પૈકી એક કાઉસ્સગ્ન તથા પાંત્રીસ ધાતુપ્રતિમા પૈકી એક ચૌમુખી છે. વહીવટ શ્રી સગરામપુરા જૈન શ્વે. મૂ. સંઘના ટ્રસ્ટીઓ – શ્રી સુરેશચંદ્ર નેમચંદ શાહ, શ્રી જયંતિલાલ વાલચંદ નહાર તથા શ્રી અરવિંદભાઈ મયંકભાઈ શાહ હસ્તક છે.
સં. ૧૯૮૯માં સૂરત ચૈત્યપરિપાટીમાં તથા સં૧૯૯૬માં સૂર્યપુર રાસમાળામાં જિનાલય બંધાવ્યા સંવત ૧૯૬૯ દર્શાવેલ છે તથા સં. ૧૯૬૯માં આ જિનાલયની પ્રતિષ્ઠા થયાનું સ્તવન પણ દર્શાવેલ છે. જ્યારે સં૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો સ્પષ્ટ ઉલ્લેખ છે. તે સમયે જિનાલયની સ્થિતિ સાધારણ દર્શાવેલી છે. સંભવ છે કે સં૧૯૬૯માં પુનઃ પ્રતિષ્ઠા થઈ હોય. મૂળનાયકની આજુબાજુના ગભારે બિરાજમાન શીતલનાથ તથા પાર્શ્વનાથની પ્રતિમા પર સં. ૧૮૫૬નો લેખ છે.
જિનાલયનો સમય સં. ૧૯૬૩ પૂર્વેનો છે. પુનઃ પ્રતિષ્ઠા સં૧૯૬૯માં થઈ હોવાનો વિશેષ સંભવ છે.
શ્રાવકશેરી, સૈયદપુરા
પ૨. ચંદ્રપ્રભુ (સં. ૧૭૯૩ પૂર્વે) સૈયદપુરા વિસ્તારમાં શ્રાવકશેરી મધ્યે શ્રી ચંદ્રપ્રભુસ્વામીનું ભોયરાયુક્ત છાપરાબંધી જિનાલય છે. ભોંયરામાં શ્રી અરનાથ છે. કાષ્ઠના ભવ્ય નંદીશ્વરદ્વીપની રચના હોવાથી નંદીશ્વર દ્વીપના જિનાલય તરીકે પ્રચલિત છે.
જિનાલયની બાંધણી ઘરદેરાસર જેવી છે. એક પ્રવેશદ્વાર છે. પ્રવેશતાં મોટો ચોક છે. સામે ઓરડીમાં શ્રી જ્ઞાનવિમલસૂરિની પાદુકા છે જેના પર નીચે મુજબનું લખાણ છે :
- “સંવત ૧૭૮૨ વર્ષ શાકે ૧૯૪૭ શ્રી ભટ્ટારક શ્રી વિજયપ્રભસૂરીશ્વર પટ્ટપ્રભાકર ભટ્ટારક શ્રી ૫ શ્રી શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વર પાદુકેભ્યો નમઃ પ્રતિષ્ઠિત ભશ્રી ૫ શ્રી સૌભાગ્યસાગરસૂરિભિઃ શ્રી’ .
વિશાળ રંગમંડપના બે ભાગ પાડતા ત્રણ દ્વાર છે. ગૂઢમંડપમાં વિશેષ કારીગરી નથી. આગળના ભાગમાં એટલે કે રંગમંડપમાં મોટા દ્વારની ઉપરની દીવાલે વાજિંત્રો સહિત શિલ્પાકૃતિઓ છે. ચાર ચાર સ્થંભો પર ચારેબાજુ વિવિધ વાઘાદિ સાથે દેવ-દેવીનાં ચિત્રો છે. સિદ્ધાચલ તથા ચૌદ કલાકૃતિનું કાષ્ઠમાં અભુત ચિત્રકામ છે. દીવાલ પર ચંદ્રપ્રભુના ત્રણ ભવનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org