________________
૧૧૬
સુરતનાં જિનાલયો
- સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં તથા સં૧૯૯૬માં સૂર્યપુર રાસમાળામાં આ જિનાલયનો વહીવટ શેઠ ડાહ્યાભાઈ ધનજીભાઈ તથા હીરાચંદ મૂળચંદ હસ્તક હોવાની નોંધ છે. જિનાલયની સ્થિતિ સારી હતી. સં. ૧૯૮૯માં પ્રતિષ્ઠા લેખની નોંધ કરવામાં આવી છે જે નીચે મુજબ છે :
પ્રતિષ્ઠાનો લેખ : સંવત ૧૯૬૯ના વૈશાખ સુદ ત્રીજ શુક્ર વીર સંવત ૨૪૩૯ વર્ષે વૈશાખ માસે શુક્લ પક્ષે તૃતીયા તિથૌ શુક્રવાસરે શુભમુહૂર્ત પૂજયપાદ શ્રી સૂરિ આનંદવિજયજી (આત્મારામજી) પ્રશિષ્ય શ્રી વલ્લભવિજ્યાભિધાને ઈદ શ્રી વાસુપૂજયસ્વામી બિંબ સ્થાપિત સંવત ૧૯૬૯.
જમણી બાજુનો લેખ : શીતલનાથજી ભગવાન પધરાવનાર શા. અમીચંદ વી. પરમાર તરફથી બાઈ રતન સંવત ૧૯૬૯ના વૈશાખ સુદી ૩ વાર શુક્ર.
ડાબી બાજુનો લેખ : શ્રી પાર્શ્વનાથ ભગવાન પધરાવનાર શા. ખીમચંદ ડાહ્યાભાઈ તથા હરજીભાઈ ડાહ્યાભાઈ તરફથી ઉમેદચંદ ખીમચંદ તથા પુનમચંદ રવજી સંવત ૧૯૬૯.
ગોખલા પરનો લેખ : શ્રી સંભવનાથજી ભગવાન પધરાવનાર શાતેજાજી નેમાજી સંવત ૧૯૬૯ના વૈશાખ સુદી ૩ને વાર શુક્ર.
શ્રી મલ્લીનાથજી ભગવાન પધરાવનાર બાઈ અંબા તે શા મૂલચંદ ધનજીની વિધવા સંવત ૧૯૬૯ના વૈશાખ સુદ ૩ વાર શુક્ર.”
શ્રી જિનહર્ષસૂરિને જેઠ સુદ ૧૫ના દિને સૂરિપદ મળ્યું. સૂરિપદ લીધા પછી સુરતમાં જ ચૈત્યબિંબ પ્રતિષ્ઠા કરાવી. સુરતમાં જ ચાતુર્માસ રહ્યા હતા. આ મુજબનો ઉલ્લેખ જૈન ગૂર્જર કવિઓ(ભાગ-૯) ગ્રંથના પૃ. ૨૯ પર તથા સૂર્યપુરનો સુવર્ણયુગમાં પૃ૧૧૫ પર મળે છે.
તે ઉપરાંત સં૧૯૯૬માં સૂર્યપુર રાસમાળામાં પૃ. ૨૦૯ પર શ્રી વલ્લભસૂરિ મ. સાએ રચેલ સુરત સગરામપુરા મંડન શ્રી વાસુપૂજ્ય સ્વામિ સ્તવનમાં સુરતના સગરામપુરામાં આવેલ ચૈત્યની પ્રતિષ્ઠા સં. ૧૯૬૯માં થઈ હોવાનું જણાવે છે:
સંવત નિધિ કાયા રે, ગ્રહ વિધુ થાયા રે, અક્ષય તૃતીયા કવિવારી, રવિ રાજયોગ બલકારી, પ્રતિષ્ઠા હોઈ સારી,
જિનંદા૬ સુરત શહેર મંડન રે, પ્રભુઅધખંડન રે, સગરામપુરા ચૈત્ય સોહે, આતમ લક્ષ્મી જિનમોહે, વલ્લભ હર્ષે નમે તોહે.
જિનંદા૭ ત્યારબાદ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં સગરામપરા કાળા મહેતાની શેરીના નાકે આવેલા આ જિનાલયને શિખરબંધી દર્શાવેલું છે. કુલ અઢાર આરસપ્રતિમા, પિસ્તાળીસ ધાતુપ્રતિમા તથા ચાર રજતચોવીસી હોવાની નોંધ છે. જિનાલય સં. ૧૯૬૯માં બંધાવ્યું હોવાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org