________________
સુરતનાં જિનાલયો
૧૧૫
પ્રતિમા છે. તે પૈકી એક ચૌમુખી છે. તથા આદેશ્વરની એક આરસપ્રતિમા છે. પાલનપુરની બાજુમાં આવેલ દાતા ગામથી લાવેલ આદેશ્વરની આ પ્રતિમાની પ્રતિષ્ઠા સં૨૦૪૭ દ્વિતીય વૈશાખ વદ ૩ના રોજ આ. શ્રી વિજયરામચંદ્રસૂરિ મ. સા.ના શિષ્ય શ્રી વિજયકુંજરસૂરિ મ. સા. તથા આ. શ્રી વિજયમુક્તિપ્રભસૂરિ મ. સા.ની નિશ્રામાં થયેલ છે. પ્રતિમા પરનો લેખ સુવાચ્ય નથી. રંગમંડપમાં પ્રવેશવાના દ્વાર ત્રણ છે. મુખ્ય દ્વાર પર આજુબાજુ નારીશિલ્પો સહિત લક્ષ્મીદેવી તથા અન્ય બે દ્વાર પર ફૂલો વગેરેની કોતરણી છે. ડાબી બાજુ હાથી પર બિરાજમાન શ્રી માણિભદ્રવીરનો ગોખ છે. તેની બન્ને બાજુ ચામર સાથે હાથીનું ચિત્રકામ છે. આ ગોખની પ્રતિષ્ઠા સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ વદ ત્રીજના રોજ થયેલ છે.
રંગમંડપની ફરસ પર આરસમાં સુંદર કોતરણી છે. સ્થંભો પર વાજિંત્રો સહિત પૂતળીઓનાં શિલ્પો કાચથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. ઘુમ્મટમાં વાસુપૂજ્ય સ્વામીના સાત ભવ, ચોવીસ યક્ષ-યક્ષિણી અને ચોવીસ તીર્થકરોનું ચિત્રકામ છે. પાવાપુરી, નેમનાથની જાન, ચંપાપુરી, શત્રુંજય, આબુ, નંદીશ્વર દ્વીપ, અષ્ટાપદજી, જગતશેઠનું જિનાલય, ગિરનાર, કેસરિયાજી, મહાવીરસ્વામીના ઉપસર્ગ, તારંગા, સમેતશિખર, પાર્શ્વનાથનો ઉપસર્ગ – જેવા આરસમાં ઉપસાવેલા તેમજ ચિત્રકામ કરેલા પટ-પ્રસંગો છે. જમણી બાજુ મલ્લિનાથનો આરસની છત્રીયુક્ત ગોખ તથા ડાબી બાજુ સંભવનાથનો ગોખ છે. રંગમંડપમાં કુલ બે આરસપ્રતિમા છે.
ત્રણ ગર્ભદ્વાર છે. ૧૩” ઊંચી મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમા પર લેખ ઘસાયેલ હોવાથી સુવાચ્ય નથી. ડાબે ગભારે શીતલનાથની પ્રતિમા પર “સં. ૧૮૫૬ ......... શ્રી જિનહર્ષસૂરિ ............... મુજબનું લખાણ છે. જમણે ગભારે પાર્શ્વનાથની કાઉસ્સગ્ગ પ્રતિમા પર “સં. ૧૮૫૬ ............ શ્રી જિનહર્ષસૂરિ ......... પ્રતિષ્ઠિત ........... મુજબનું લખાણ છે. કુલ સોળ આરસપ્રતિમા પૈકી એક કાઉસ્સગ્ન પ્રતિમા છે. કુલ પાંચ ધાતુપ્રતિમા છે.
જિનાલયના શિખરમાં નાની દેવકુલિકા જેવી રચનામાં ૧૫” ઊંચી મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની આરસપ્રતિમા બિરાજમાન છે. તેના પર સં. ૨૦૦રનો લેખ છે. તેની ડાબી બાજુ વાસુપૂજ્ય સ્વામી તથા જમણી બાજુ શાંતિનાથ – એમ કુલ ત્રણ આરસપ્રતિમા છે. પ્રતિષ્ઠા સં. ૨૦૦૨ના જેઠ સુદ ચોથના રોજ આશ્રી વિજયરામચંદ્રસૂરિના શિષ્ય કનકવિજયજી મહારાજે કરાવી છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સગરામપુરા વિસ્તારમાં વાસુપૂજ્ય સ્વામીનું ધાબાબંધી જિનાલયનો ઉલ્લેખ છે. કુલ બાર આરસપ્રતિમા, પિસ્તાળીસ ધાતુપ્રતિમા તથા એક રત્નની પ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સાધારણ હતી.
સં. ૧૯૬૮માં તીર્થગાઇડ(ભાગ-૧)માં સિધરામપુરા નામના વિસ્તારમાં એક જિનાલય હોવાની નોંધ છે.
સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં સગરામપુરામાં આ જિનાલયનો ઉલ્લેખ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org