________________
૧૦૪
સુરતનાં જિનાલયો
દીપચંદ માણેકલાલ ખુશાલચંદ (વિલાયતવાળા) અને દાદીમા શ્રીમતિ હીરાકોરબહેનના સ્મરણાર્થે અને સ્વઆત્મશ્રેયાર્થે સ્વદ્રવ્યથી નવગ્રહનાયક શ્રી આદિનાથ જિનેશ્વર આદિ નવ તીર્થંકર પરમાત્મા સાથે શ્રી ગૌતમસ્વામીજી, શ્રી માણિભદ્રવીર, યક્ષરાજ, શ્રી પદ્માવતીમાતા, શ્રી સરસ્વતી માતા અને પૂ. આ. શ્રી આનંદસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબની મૂર્તિઓ ભરાવી. આ જિનાલય નિર્માણ કરી પ્રતિષ્ઠા કરી છે.
પૂજયપાદ આગમોદ્ધારક દેવસૂર તપાગચ્છ સમાચારી સરંક્ષક આચાર્ય ભગવંત શ્રી આનંદસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય પૂ. આ. શ્રી ચંદ્રસાગર સૂરિ મ. સા.ના શિષ્ય માલવોદ્ધારક પૂર ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. સા. શિષ્ય પૂ. આગમવિશારદ ગુરુદેવ શ્રી અભયસાગરજી મ. સા.ના પટ્ટ શિષ્ય પૂ. આ. શ્રી અશોકસાગર સૂરીશ્વર મસાહેબે સ્વશિષ્ય પં. શ્રી જિનચંદ્રસાગરમહારાજ, પં. શ્રી હેમચંદ્રસાગરજી મ. તથા સાધ્વીજી શ્રી નૃગેન્દ્રશ્રીજી મ. આદિ ચતુર્વિધ શ્રી સંઘની નિશ્રામાં ભવ્ય જિનેન્દ્ર ભક્તિ મહોત્સવપૂર્વક અંજનશલાકા, પ્રતિષ્ઠા મહોત્સવ વિસં. ૨૦૫૩ના માગસર સુદ ત્રીજના શુક્રવારે તા. ૧૩-૧૨-૧૯૯૬ના દિવસે શુભ મૂહર્ત કરાવી છે.
શુભ ભવતુ શ્રી સંઘસ્ય | જિનાલયની બહાર જમણી બાજુ દેરીમાં સરસ્વતીદેવીની આરસમૂર્તિ છે. કાષ્ઠના બનેલા ત્રણ પ્રવેશદ્વાર છે. રંગમંડપ મધ્યમ કદનો છે. આ શ્રી આનંદસાગરસૂરિ, પદ્માવતીદેવી, માણિભદ્રવીર તથા ગૌતમસ્વામીની આરસમૂર્તિઓના ગોખ છે.
ગર્ભદ્વાર ત્રણ છે. ૨૧” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની જેસલમેરી પીળા પથ્થરની બનેલી પ્રતિમા જર્મન-સિલ્વરની છત્રીમાં બિરાજે છે. કુલ નવ આરસપ્રતિમાં અને ત્રણ ધાતુપ્રતિમા છે. ડાબે ગભારે મુનિસુવ્રતસ્વામી, નેમનાથ અને પાર્શ્વનાથ તથા જમણે ગભારે ચંદ્રપ્રભુ, પદ્મપ્રભુ અને વાસુપૂજ્યસ્વામી છે.
નવગ્રહના શ્રી આદેશ્વર તથા નવગ્રહના નવ તીર્થકરોની વર્ણ મુજબની મૂર્તિઓ અહીં પધરાવવામાં આવી છે. જિનાલયના વહીવટદાર તરીકે શ્રી ગોપીપુરા જૈન સંઘના ટ્રસ્ટીઓ – શ્રી જિતેન્દ્રભાઈ સૂર્યસેન ઝવેરી, શ્રી પ્રફુલ્લભાઈ એસ. ઝવેરી તથા શ્રી રાજેન્દ્રભાઈ જીવણભાઈ ચોકસી સેવાઓ આપે છે.
આ જિનાલયનો સમય સં૨૦૫૩નો છે.
કાજીનું મેદાન, ગોપીપુરા
૩૯. નેમિનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૫૪) ગોપીપુરા, કાજીના મેદાન પાસે, સ્ટર્લીગ અને સમેતશિખરની ગલીમાં શ્રી હેમેન્દ્રભાઈ જયંતિલાલ શાહ પરિવારનું શ્રી નેમિનાથનું ઘરદેરાસર આવેલું છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૫૪ વૈશાખ સુદ ૬ને દિને શ્રી હેમેન્દ્રભાઈ જયંતિલાલ શાહ પરિવાર દ્વારા કરવામાં આવી છે. ૩૧” ઊંચી મૂળનાયક શ્રી નેમિનાથની શ્યામ આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org