________________
સુરતનાં જિનાલયો
૧૦૩
મગનલાલ કસ્તુરચંદ માલવાડાવાળા પરિવારનું શ્રી સુવિધિનાથનું ઘરદેરાસર આવેલું છે.
રૂમ મોટો છે. આરસની છત્રીમાં મૂળનાયક શ્રી સુવિધિનાથની ૯” ઊંચી પંચતીર્થી ધાતુપ્રતિમા બિરાજે છે. પ્રતિમાની અંજનશલાકા અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલ જિનાલયમાં શ્રી ભુવનભાનુ સૂરિજીના હસ્તે થઈ છે. આ ઘરદેરાસરની પ્રતિષ્ઠા સં. ૨૦૪૮ના વૈશાખ સુદ બારશને દિને આ. શ્રી પ્રબોધચંદ્રસૂરિજીની નિશ્રામાં શ્રી મગનલાલ કસ્તુરચંદ માલવાડાવાળા પરિવાર દ્વારા કરવામાં આવી છે.
વહીવટ શ્રી મગનલાલનાં સંતાનો – શ્રી પ્રવીણચંદ્ર, શ્રી મુલચંદભાઈ, શ્રી ચંદુલાલ તથા શ્રી નરેન્દ્રકુમાર કરે છે.
સં. ૨૦૫૪માં પ્રગટ થયેલ સુરત તીર્થ વંદુ કર જોડમાં પ્રતિષ્ઠા સં૨૦૪૯માં થઈ હોવાની નોંધ છે.
ગોપીપુરા, મેઈન રોડ ૩૭. ચંદ્રપ્રભુસ્વામી (ઘરદેરાસર) (સં. ૨૦૫૬) ગોપીપુરા મેઈન રોડ પર મહેન્દ્રભાઈ નેમચંદ ઝવેરીની દુકાનની ઉપર, આદિભવનમાં ૧લે માળ શ્રી સુનીલભાઈ અનંતરાય વોરા પરિવારનું શ્રી ચંદ્રપ્રભુસ્વામીનું ઘરદેરાસર આવેલું છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૫૬ના માગશર સુદ પને દિને આ. શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સાદના હસ્તે થયેલ છે. ૯” ઊંચી મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુસ્વામીની ધાતુપ્રતિમાની અંજનશલાકા - આ. શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં થયેલ છે. કુલ બે ધાતુપ્રતિમા છે.
કાજીનું મેદાન, ગોપીપુરા
૩૮. આદેશ્વર (સં. ૨૦૧૩) ગોપીપુરા હીરા-પન્ના એપાર્ટમેન્ટની સામે કાજીના મેદાનમાં આરસનું બનેલું શ્રી આદેશ્વરનું શિખરબંધી જિનાલય આવેલું છે. સૂર્યદીપ નવગ્રહાધિપતિ શ્રી આદિનાથ જિનાલય તરીકે આ જિનાલય ઓળખાય છે. જિનાલયની પ્રતિષ્ઠા અંગેનો શીલાલેખ નીચે મુજબ છે :
શ્રી સૂર્યદીપ નવગ્રાધિપતિ શ્રી આદિનાથ જિનાલય તપાગચ્છીય જૈન શ્વે. મૂ. સૂરત વીસા ઓસવાલ જ્ઞાતીય સુશ્રાવક શ્રી જિતેન્દ્ર સૂર્યસેન ઝવેરી તથા સુશ્રાવિકા કુ મલ્લિકાબહેન સૂર્યસેન ઝવેરીએ પોતાના ધર્મપ્રેમી પિતા શ્રી સૂર્યસેન દીપચંદ ઝવેરી, માતુશ્રી શ્રીમતિ સુશીલાબહેન અને જીતુભાઈના ધર્મપત્ની શ્રીમતિ નીલાદેવી જીતેન્દ્ર ઝવેરી તથા દાદા શ્રેષ્ઠીવર્ય શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org