SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ સુરતનાં જિનાલયો સુરત કી ગઝલમાં કુંથુનાથના જિનાલયનો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં મોટા રસ્તા પર દર્શાવેલ કુંથુનાથનું આ જિનાલય શિખરબંધી હોવાની નોંધ છે. કુલ એકવીસ આરસપ્રતિમા તથા ચોવીસ ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. સં. ૧૯૬૮માં તીર્થગાઈડ(ભાગ-૧)માં તથા સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં પણ આ જિનાલયનો ઉલ્લેખ છે. સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં ગોપીપુરા મોટા રસ્તે આવેલા આ જિનાલયનો જીર્ણોદ્ધાર સં. ૧૯૫૭માં શેઠ રૂપચંદ લલુભાઈ દ્વારા શ્રી મોહનલાલજી મહારાજ તથા શ્રી વિજય સિદ્ધિસૂરિની નિશ્રામાં કરાવ્યાની નોંધ છે. ઉપરાંત જિનાલયનો ઘાટ રમ્ય હોવાનું તથા અંદરનું રંગકામ સુંદર હોવાની પણ નોંધ છે. જિનાલયની સ્થિતિ સારી હતી. સં. ૧૯૯૬માં સૂર્યપુરનો સુવર્ણયુગમાં આ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૯૫૧માં થઈ હોવાનો ઉલ્લેખ છે. તે જ સમયે પ્રગટ થયેલ સૂર્યપુર રાસમાળામાં સં. ૧૯૫૭માં મોહનલાલજી મહારાજ દ્વારા પ્રતિષ્ઠા થઈ હોવાની નોંધ છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં મેઇન રોડ પર આવેલ આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી જિનાલય તરીકે જ થયેલો છે. કુલ તેવીસ આરસપ્રતિમા, ત્રીસ ધાતુપ્રતિમા તથા એક રજત ચોવીસ જિનપટ હોવાનો ઉલ્લેખ છે. સં. ૧૯૫૫માં જિનાલય બંધાયું હોવાની નોંધ છે. જો કે તે સમયે જિનાલયના જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ થયું હોવાનો સંભવ છે. વહીવટ શેઠ ખીમચંદ કલ્યાણચંદ હસ્તક હતો. જિનાલયની સ્થિતિ સારી હતી. સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તાર યાદીમાં આ જિનાલયનો વહીવટ શેઠ રતનચંદ બાલુભાઈ ખીમચંદ નાણાવટી હસ્તક હતો. આજે જિનાલયમાં કુલ તેત્રીસ આરસપ્રતિમા તથા અડતાળીસ ધાતુપ્રતિમા છે. વહીવટ શ્રી કુંથુનાથ જૈન દેરાસર ટ્રસ્ટ – શ્રી નલીનભાઈ રતનચંદ નાણાવટી, શ્રી અમરચંદ મગનલાલ નાણાવટી, શ્રી બિપીનભાઈ અમીચંદ શાહ તથા શ્રી અમરચંદ પ્રેમચંદ કાજી હસ્તક છે. ટૂંકમાં આ જિનાલયનો સમય સં૧૬૮૯ પૂર્વેનો છે. જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. ઉમેશ મેન્શન, ગોપીપુરા ૩૬. સુવિધિનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૪૯) ગોપીપુરા મેઇન રોડ પર આવેલ શ્રી કુંથુનાથના જિનાલયના પાછળના ભાગમાં ક્રીપારામ મહેતાના ખાંચામાં, મહેતા મહાદેવના મંદિરની સામે ઉમેશ મેન્શનમાં ચોથે માળ શ્રી For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy