________________
સુરતનાં જિનાલયો
૧૦૧
પ્રવેશદ્વાર ત્રણ છે. તેના સ્થંભો પર દ્વારપાલનાં શિલ્પો ઉપસાવેલાં છે. મુખ્ય પ્રવેશદ્વારની બારસાખની ઉપરની દીવાલ સરસ્વતીદેવી તથા આજુબાજુના દ્વારે હાથી પર બિરાજિત શેઠ શેઠાણીની કલાકૃતિ છે.
રંગમંડપ મધ્યમ કદનો છે. કોતરણીવાળા સ્થંભો પર વાજિંત્ર સહિત શિલ્પાકૃતિઓ તથા સ્થંભોને જોડતી કમાનો પર સુંદર રંગકામ થયેલું છે. ઘુમ્મટમાં યક્ષ-યક્ષિણી, તીર્થકર, નવગ્રહો, ચૌદ સ્વપ્નો, ફૂલનું સુંદર ઓઈલ પેઈન્ટીંગ છે. શત્રુંજય, રાણકપુર, ભદ્રેશ્વર, આબુ, ગિરનાર, તારંગા, પાવાપુરી, અષ્ટાપદ, સમેતશિખર, રાજગૃહી, શંખેશ્વરના ઓઈલ પેઈન્ટ કરેલા પટ છે. કુલ પાંચ ગોખમાં દસ આરસપ્રતિમા, સાત રજતપ્રતિમા તથા એક ધાતુપ્રતિમા છે.
ગર્ભદ્વાર ત્રણ છે. પ્રતિષ્ઠા સં. ૧૯૫૭ મહા સુદી ૧૩ – એ મુજબ મુખ્ય ગર્ભદ્વારની ઉપર દીવાલે લખાણ છે. ૧૯” ઊંચી મૂળનાયક શ્રી કુંથુનાથની આરસપ્રતિમા પર સં. ૧૬૬૬નો લેખ છે. કુલ તેવીસ આરસપ્રતિમા, ચાળીસ ધાતુપ્રતિમા તથા રજત ચોવીસ જિનપટ છે.
પુનઃ પ્રતિષ્ઠા સં. ૧૯૫૭માં મહા સુદ ૧૩ના રોજ શેઠ રૂપચંદ લલુભાઈ પરિવાર દ્વારા શ્રી મોહનલાલજી મહારાજ તથા શ્રી વિજયસિદ્ધિસૂરિની નિશ્રામાં થઈ હતી.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૬ ૮૯માં ઉપાડ વિનયવિજયકૃત સૂર્યપુર ચૈત્યપરિપાટીમાં કુંથુનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે : સૂર જો સૂરતણો સુત સુંદરું એ,
સત્તર સત્તરમો ભગવંત કે; કુંથુ નમું આણંદસ્ય એ,
સોહ એ સોહ એ સૂરતિમાંહિ હે; સૂરતણો સુત સુંદરૂં એ.
સુત સૂર કેરો સોહઈ સૂરતિમાહિ સૂરતિ સાર એ, પ્રભુતણી સૂરતિ દેવી મૂરત હોઇ હર્ષ અપાર એ; મૃગમાનમોચન સ્વામિલોચન દેખિ મુઝ હાંડું ઠરઈ,
મકરંદભર અરવિંદ દેખી ભમર જિમ ઊલટ ધરઇ.
સં. ૧૭૫૫માં શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત તીર્થમાળામાં સુરતનાં અન્ય જિનાલયોની સાથે કુંથુનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે જે નીચે મુજબ છે :
ધુર થકી સહરિમાં વંદિયા પાસ ચિંતામણી વારૂ
ધર્મ જિનેસર નમિનિ કુંથુ જિનેસર તારૂ સં. ૧૭૯૩માં લાધાશાહકૃત સુરત ચૈત્યપરિપાટીમાં તથા સં. ૧૮૫૫માં દીપવિજયકૃત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org