________________
૧૦૦
સુરતનાં જિનાલયો સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તાર યાદીમાં સોની ફળીઆ, દેશાઈ પોળ, ગોપીપુરા વિસ્તારમાં આ જિનાલયનો ઉલ્લેખ થયો છે. જિનાલય બંધાવનારના નામમાં મણીલાલ ડાહ્યાભાઈ જગજીવન, પ્રતિષ્ઠા સંવત ૧૯૦૦ તથા જીર્ણોદ્ધાર સં. ૧૯૬૩માં થયો હોવાની નોંધ છે. વહીવટ દેસાઈ પોળ પેઢી હસ્તક હતો.
આજે પણ જિનાલયનો વહીવટ દેસાઈ પોળ જૈન પેઢીના ટ્રસ્ટીઓ – શ્રી અશ્વિનભાઈ શાંતિલાલ સંઘવી, શ્રી પ્રદીપભાઈ જરીવાલા તથા શ્રી રાજુભાઈ શાહ હસ્તક છે.
સં. ૧૯૬૩માં જિનાલયનો જીર્ણોદ્ધાર થયો છે. સં. ૧૯૮૯માં વહીવટ શ્રી મણિભાઈ ડાહ્યાભાઈ હસ્તક હોવાની નોંધ છે. સંભવ છે કે જીર્ણોદ્ધાર શ્રી મણિભાઈ ડાહ્યાભાઈ દ્વારા થયો હોય. સં. ૨૦૧૦માં તથા સં૨૦૨૩માં જિનાલયનો સમય સં૧૯૦૦ આસપાસનો દર્શાવ્યો છે. અમારી માન્યતા પ્રમાણે જિનાલયનો સમય સં. ૧૯૦૦ આસપાસનો હોવાનો વધુ સંભવ છે જો કે આ અંગે વિશેષ સંશોધન કરવાની જરૂર છે.
વૃંદાવન એપાર્ટમેન્ટ, સોની ફળિયા
૩૪. આદેશ્વર (ઘરદેરાસર) (સં. ૨૦૪૬) સોની ફળિયામાં પાણીની ભીંત પાસે હનુમાન પોળમાં વૃંદાવન એપાર્ટમેન્ટમાં ચોથે માળ ૪૦૨ નંબરના ફલેટમાં મધ્યમ કદની રૂમમાં ઘુમ્મટયુક્ત આરસની છત્રીમાં મૂળનાયક શ્રી આદેશ્વરની ૧૩” ઊંચી સપરિકર આરસપ્રતિમા બિરાજે છે. તથા એક ધાતુપ્રતિમા છે. મૂળનાયક પ્રતિમા પર નીચે મુજબનું લખાણ વાંચી શકાય છે :
મહાવીરનગર મધ્યે મહાવીરનગર સો. શ્રી વાસુપૂજય જિનાલયે ચાંગળાવ નિવાસી અમૃતલાલ મગનલાલ શાહ ભાર્યા મંગુબેન ..... બુદ્ધિસાગરસૂરિ ...... કીર્તિસાગરસૂરિ ...
આ ઘરદેરાસરની પ્રતિષ્ઠા સં૨૦૪૬માં મહા વદ છઠને તા. ૧-૨-૯૦ના રોજ શ્રી જગદીશભાઈ અમૃતલાલ ઝવેરી દ્વારા શ્રી જિનચંદ્રસૂરિની નિશ્રામાં કરવામાં આવી છે.
ગોપીપુરા, મેઇન રોડ
૩૫. કુંથુનાથ (સં. ૧૬૮૯ પૂર્વે) ગોપીપુરામાં મેઇન રોડ પર શ્રી કુંથુનાથનું આરસનું બનેલું શિખરબંધી પ્રાચીન જિનાલય આવેલું છે.
મોટો ચોક છે. બન્ને બાજુ આરસની બેઠક છે. શૃંગારચોકીમાં મગરમુખી કમાનોથી જોડાતા થંભો પર વાજિંત્ર સહિત પરીઓ તથા ફૂલછાબ લઈ ઊભેલી શિલ્પાકૃતિઓ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org