________________
સુરતનાં જિનાલયો પાસે જમણી બાજુ ગોખમાં પદ્માવતીદેવી તથા ડાબી બાજુ ગોખમાં પ્રાસાદદેવી છે.
ત્રણ ગર્ભદ્વાર છે. મોટા કદના ગભારામાં ૧૩” ઊંચી મૂળનાયક શ્રી વિમલનાથની અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત પ્રતિમા રજતછત્રીમાં બિરાજે છે. સં. ૨૦૪૩ મહા વદ ૧૩ના રોજ આ શ્રી અશોકચંદ્રસૂરિની નિશ્રામાં સેવંતીભાઈ તેમના ધર્મપત્ની કાન્તાબહેન તથા પુત્ર વિજયકુમાર વિગેરેએ પરિકર ભરાવ્યાનો લેખ પરિકર પર છે. કુલ પાંચ આરસપ્રતિમા તથા સાત ધાતુપ્રતિમા છે. જમણે ગભારે શંખેશ્વર પાર્શ્વનાથ તથા ડાબે ગભારે શાંતિનાથ છે. મૂળનાયકની પાછળની દીવાલે ઇન્દ્રો, સૂર્ય-ચંદ્ર, ફૂલ-વેલના ચિત્રકામ છે.
ભોંયરામાં કોઈ પ્રતિમા નથી. અહીં શ્રીપાલ-મયણા ચરિત્ર ૧૩ર પથ્થરમાં કોતરવામાં આવી રહ્યું છે. જિનાલયની મુલાકાત સમયે કાર્ય ચાલુ હતું.
સ્થાનિક માહિતી પ્રમાણે અગાઉ જિનાલયની બાંધણી ઘરદેરાસર જેવી હતી. સ્થિતિ જીર્ણ થવાથી ઈ. સ. ૧૯૬૯-૭૦માં આ વિસ્તારમાં રહેતા સુશ્રાવક શ્રી રસિકલાલ નાથાલાલ શાહે જીર્ણોદ્ધાર માટે સોની ફળિયા જૈન સંઘને વિનંતિ કરી. ત્યારબાદ સં. ૨૦૩૯માં આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરિ મ. સા. તથા આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરિ મ. સા.ની નિશ્રામાં જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ થયું. સં. ૨૦૪૬ના મહા સુદ છઠના દિને આ. શ્રી વિજય કુમુદચંદ્રસૂરિ મ. સા. તથા શ્રી વિજય પ્રબોધચંદ્રસૂરિ મ. સા.ની નિશ્રામાં પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સોની ફળિઆ વિસ્તારમાં વિમલનાથના જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. કુલ બે આરસપ્રતિમા તથા વીસ ધાતુપ્રતિમા હતી. સ્થિતિ સાધારણ હતી.
- સં. ૧૯૬૮માં તીર્થગાઈડ(ભાગ-૧)માં તથા સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં સોની ફલીઆમાં વિમલનાથના જિનાલયનો ઉલ્લેખ થયો છે.
સં. ૧૯૮૯માં સુરત ચેત્યપરિપાટીમાં આ જિનાલયની જીર્ણોદ્ધાર પછીની પ્રતિષ્ઠા સં ૧૯૬૩માં થઈ હોવાની નોંધ છે. વહીવટ શા મણીભાઈ ડાહ્યાભાઈ હસ્તક હતો. ઉપરાંત બહારના દરવાજા પર એક લેખ હોવાની નોંધ કરવામાં આવી છે જે નીચે મુજબ છે :
ભીન્નમલ બ્રાહ્મણ શ્રીમતિ બાઈ ગંગાકુંવર દેવી કલકત્તાવાળા શ્રી હિંમતરામ આદીતરામની પત્નિ – ચુનીલાલ અને ચુનીલાલનાં માતુશ્રી તરફથી આ જગા શ્રી વિમલનાથજી મહારાજને અર્પણ કરી છે. સં. ૧૯૭૩.”
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયો છે. એક આરસપ્રતિમા તથા વીસ ધાતુપ્રતિમા હતી. સં. ૧૯૦૦ લગભગમાં શેઠ મણિલાલ ડાહ્યાભાઈ જગજીવનદાસ જિનાલય બંધાવ્યાની તથા વહીવટ શ્રી ખીમચંદ કલ્યાણચંદ હસ્તક હોવાની નોંધ હતી. જિનાલયની સ્થિતિ સારી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org