________________
૯૮
સુરતનાં જિનાલયો
૧. શા. જેચંદ સુખમલનું શ્રી સુવિધિનાથનું મોટું દેરાસર.
૨. વખારવાળા ઉદેચંદ ઇચ્છાચંદનું શ્રી શાંતિનાથનું દેરાસર (મોટી આગ વખતે આવેલું માલુમ પડે છે.)
૩. નાનપરાના શા. પ્રેમચંદ પરશોતમના કુટુંબનું ઘરદેરાસર.
પબાસનની છત્રી ઉપરના લેખ પરથી માલૂમ પડે છે કે તે શ્રીમાલી જાતના ચુનીલાલ છગનચંદ તરફથી કરાવવામાં આવ્યો છે.
સં. ૧૯૯૬માં સૂર્યપુર રાસમાળામાં આ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૯૫૬માં શ્રી વિજયસિદ્ધિ સૂરિ મ. સા. દ્વારા થયાની નોંધ છે.
સં. ૧૮૫૦માં શેઠ ધનલાલ રૂપાલાલ દેસાઈ પોળમાં શ્રી સુવિધિનાથનું જિનાલય બંધાવ્યું હોવાની નોંધ સં. ૧૯૯૬માં સૂર્યપુરનો સુવર્ણયુગમાં છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ નાની દેસાઈ પોળમાં ધાબાબંધી તરીકે થયેલો છે. કુલ તેવીસ આરસપ્રતિમા, સુડતાળીસ ધાતુપ્રતિમા તથા બે રજત ચોવીસ જિનપટ હતા. સં૧૮૫૦ લગભગમાં ધનાલાલ રૂપાલાલે જિનાલય બંધાવ્યું હોવાની તથા વહીવટ દેસાઈ પોળની પેઢી હસ્તક હોવાની નોંધ હતી. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તાર યાદીમાં પણ આ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૮૫૦માં ધનાલાલ રૂપાલાલે કરાવી હોવાની નોંધ છે.
આજે પણ જિનાલયનો વહીવટ દેસાઈ પોળ જૈન પેઢીના ટ્રસ્ટીઓ – શ્રી અશ્વિનભાઈ શાંતિલાલ સંઘવી, શ્રી પ્રદીપભાઈ જરીવાલા તથા શ્રી રાજુભાઈ શાહ હસ્તક છે.
ટૂંકમાં અમારી માન્યતા પ્રમાણે આ જિનાલયનો સમય સં૧૮૫૦ આસપાસનો છે. જો કે વધુ સંશોધનની જરૂર છે.
નગરશેઠની પોળ, સોની ફળિયા
૩૩. વિમલનાથ (સં. ૧૯૦૦ આસપાસ) નગરશેઠની પોળ, સોની ફળિયામાં આરસનું બનેલું શ્રી વિમલનાથનું ભોયરાયુક્ત શિખરબંધી જિનાલય આવેલું છે.
મધ્યમ કદનો ચોક છે. શૃંગારચોકીમાં જમણી બાજુ માણિભદ્રવીરનો ગોખ તથા ડાબી બાજુ કેસર, સુખડ, ફૂલ વિગેરેની વ્યવસ્થા છે. ત્રણ સાદા પ્રવેશદ્વાર છે.
મોટા કદના રંગમંડપનો કોતરણીયુક્ત ઘુમ્મટ આકર્ષક ઝુમ્મરથી શોભે છે. ફરસ વિવિધ રંગના આરસના સંયોજનથી આકર્ષક લાગે છે. સ્થંભો પર કોતરણીવાળાં તોરણો છે. ગર્ભદ્વાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org