SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો મોટી દેસાઈ પોળ, સોની ફળિયા ૩૨. સુવિધિનાથ (સં ૧૮૫૦ આસપાસ) સોની ફળિયા, મોટી દેસાઈ પોળમાં સાદા પથ્થરનું બનેલું શ્રી સુવિધિનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. ૯૭ જુદી જુદી વ્યક્તિ પાસેથી મળેલ રકમમાંથી ૧૦૮ પ્રાચીન તીર્થો પેઈન્ટ કરાવવામાં આવેલ છે જેનું ઉદ્ઘાટન તથા નામકરણ વિધિ સં. ૨૦૨૪ કારતક વદ ૨ રવિવાર તા. ૧૯૧૧-૬૭ના રોજ આ શ્રી વિજયકસ્તુર સૂરિ મ. સા તથા પં. શ્રી ચંદ્રોદયવિજયજી મ. સાની નિશ્રામાં કરવામાં આવી છે. જિનાલય ૧૦૮ તીર્થ દર્શન મંદિર તરીકે પણ ઓળખાય છે. ત્રણ પ્રવેશદ્વાર છે. ગૂઢમંડપની દીવાલો પર ફરતે ચાળીસ તીર્થો તથા ભગવાનનાં ચિત્રો છે. રંગમંડપમાં પ્રવેશવાનું કાષ્ઠનું એક દ્વાર છે. લંબચોરસ રંગમંડપમાં ફરતી દીવાલે અડસઠ તીર્થો તથા ભગવાનના ચિત્રો છે. તે દરેક ભગવાનના મુગટ પર ટીપકી લગાવેલ હોવાથી સુંદર લાગે છે. એક ગર્ભદ્વાર છે..- ગભારો સાદો અને મધ્યમ કદનો છે. ૧૩” ઊંચી મૂળનાયક શ્રી સુવિધિનાથની પ્રતિમા આરસની કલાત્મક છત્રીમાં બિરાજમાન છે. પ્રતિમાલેખ નથી. કુલ અઠ્ઠાવીસ આરસપ્રતિમા છે. છેતાળીસ ધાતુપ્રતિમા પૈકી એક ચૌમુખી છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. કુલ તેર આરસપ્રતિમા તથા પિસ્તાળીસ ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. સં. ૧૯૬૮માં તીર્થગાઇડ(ભાગ-૧)માં તથા સં૰ ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ મળે છે. સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં મોટી દેસાઈ પોળમાં દર્શાવેલ સુવિધિનાથના જિનાલય ધનલાલ રૂપાલાલે બંધાવ્યું હોવાની તથા વહીવટ શેઠ જીવણચંદ ધરમચંદ અને શેઠ બાલુભાઈ ખીમચંદ હસ્તક હોવાની નોંધ છે. ઉપરાંત અન્ય વિશેષ નોંધ નીચે મુજબ છે : ‘પ્રતિષ્ઠા સં ૧૮૫૦ આસપાસ. સં. ૧૯૧૯, સં. ૧૯૪૦, સં. ૧૯૫૬ તથા સં ૧૯૮૫માં એમ કુલ ચાર વખત જીર્ણોદ્ધાર. સં. ૧૯૫૬માં આ શ્રી વિજયસિદ્ધિસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી. આ દેરાસરજીમાં એક પ્રતિમા સંપ્રતિરાજાના વખતની છે. મૂળનાયકની પ્રતિમા ઘણા જૂના વખતની હોઈ લેખ ઘસાઈ ગયો છે. વિમલગચ્છના આચાર્યના હાથે લાડવા શ્રીમાળી જ્ઞાતિની એક બાઈએ શ્રી સુમતિનાથ ભગવાનની એક મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી છે જે ઘણા જુના વખતની છે. આરસ અને ધાતુની મળીને એકંદર ૬૬ પ્રતિમાઓ છે. આ દેરાસરજીમાં જુદા જુદા ત્રણ દેરાસરો પધરાવવામાં આવ્યા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy